ગુજરાતટોપ ન્યૂઝ

રથયાત્રા@2022: ભગવાનના મોસાળ સરસપુરમાં 14 જગ્યાએ રસોઈની તૈયારી, બે લાખથી વધુ ભક્તો માટે પુરી-શાક, મોહનથાળ અને બુંદી બનશે

Text To Speech

કોરોના મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા ભવ્ય રીતે યોજાવવાની છે. જેમાં લાખો ભક્તો ભગવાનના દર્શન માટે પહોંચશે. ભગવાનના મોસાળ સરસપુર ખાતે રથયાત્રા પહોંચે ત્યારે રથયાત્રામાં જોડાતા અને દર્શન કરવા આવતા તમામ ભક્તો માટે જમણવાર યોજવામાં આવે છે. સરસપુરમાં કુલ 14થી 15 જગ્યાએ રસોડા શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં બે મોટા અને બાકીના નાના રસોડા બનાવ્યા છે. વર્ષોથી સરસપુરવાસીઓ રથયાત્રામાં જોડાતા ભક્તોને ખુબજ પ્રેમથી જમાડતા હોય છે. સરસપુર વાસીઓનું દરેક ભક્તોને જમાડવાનું સુંદર આયોજન હોય છે કે પાંચેક કલાકમાં લાખોની સંખ્યામાં ભક્તો જમી લેતા હોય છે. સરસપુરની મોટી સાળી વાળમાં સૌથી મોટું રસોડું યોજાશે જેમાં 35000 ભક્તો જમતાં હોય છે.

નાના-મોટા રસોડામાં જમણવારની તૈયારી ચાલુ
મોસાળ સરસપુર બુધવારે મોડી રાતથી જ અલગ-અલગ શેરીઓ અને વાડમાં રસોડા શરૂ કરી દેવામાં આવ્યા હતા ખુદ શેરીના લોકો અને મંડળના લોકો ભેગા મળી આખો દિવસ રસોઈનું આયોજન કરે છે. સરસપુરમાં મોટા રસોડામાં કુલ 30થી 35 હજાર લોકો જમે તેવું આયોજન કરાય છે. જ્યારે નાના રસોડામાં 8થી 10 હજાર લોકો ગમે તે રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. દરેક શેરી અને વાળમાં અલગ-અલગ વાનગીઓનો જમણવાર યોજવામાં આવે છે. બુંદી, મોહનથાળ, મગસ પુરી અને બટાકાનું શાક જેવા વાનગીઓ બનાવવામાં આવે છે.

મોસાળ સરસપુર બુધવારે મોડી રાતથી જ અલગ-અલગ શેરીઓ અને વાડમાં રસોડા શરૂ કરી દેવામાં આવ્યા હતા ખુદ શેરીના લોકો અને મંડળના લોકો ભેગા મળી આખો દિવસ રસોઈનું આયોજન કરે છે

મોટી સાળવી પોળમાં 30 હજારથી વધુ ભક્તો જમે છે
સરસપુર યુવા ગ્રુપના સંજયભાઈ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મોટી સાળવી પોળમાં સૌથી મોટું રસોડું યોજાય છે સરસપુરમાં પ્રવેશતાની સાથે જ સૌથી પહેલું રસોડું અમારું આવે છે જેથી મોટી સંખ્યામાં ભક્તો આ પોળમાં જમે છે અમે બેસાડીને જમાડવાની જગ્યાએ બુફે સિસ્ટમથી જમાડીએ છીએ જેનાથી ઝડપથી અને વધુમાં વધુ લોકો પ્રસાદીનો લાભ લઇ શકે. બે દિવસથી બુદ્ધિ અને ફૂલવડી બનાવવાની શરુ કરવામાં આવી છે આજે રાત્રે પોળોની બહેનો દ્વારા પુરી બનાવવાની શરૂઆત કરવામાં આવશે અને વહેલી સવારે શાક બનાવવામાં આવશે.

સરસપુરની મોટી સાળી વાળમાં સૌથી મોટું રસોડું યોજાશે જેમાં 35000 ભક્તો જમતાં હોય છે.

આગલા દિવસે પુરી- શાક બનાવવામાં આવે છે
સરસપુર ખાતે આવેલા નાના મોટા આ રસોડામાં બે દિવસ પહેલાંથી જમવાનું બનાવવાનું શરૂ કરવામાં આવે છે જેમાં બે દિવસ પહેલા બુંદી અને મોહનથાળ બનાવીને તૈયાર કરવામાં આવે છે. આગલા દિવસે એટલે કે આજથી પુરી બનાવવાની શરૂઆત કરવામાં આવે છે અને વહેલી સવારે ચાર વાગ્યે શાક બનાવવામાં આવે છે. 10 વાગ્યાથી ભક્તોનો ધસારો શરૂ થતાની સાથે જ જમણવાર શરૂ કરી દેવામાં આવે છે. સરસપુર ખાતે છેલ્લા અનેક વર્ષોથી જમણવાર યોજવામાં આવતો હોય છે સાંજે ચાર વાગ્યા સુધી જમણવાર ચાલુ રહેતો હોય છે. પોળની બહેનો દ્વારા વેલણ અને પાટલીઓ લઈ અને રાત્રે મળવા પહોંચી જતા હોય છે. વહેલી સવાર સુધી પુરીઓ વણાતી ગણાતી હોય છે.

ખલાસીઓ માટે ખીચડી અને શાક જ બને છે
વહેલી સવારે ભગવાન જગન્નાથના રથ ખેંચીને એક હજારથી વધુ ખલાસીઓ ભગવાનને સરસપુર મામાના ઘરે લાવતાં હોય છે. ત્યારે ખલાસીઓ માટે ખાસ અલગથી વડવાળો વાસ ખાતે જમણવારનું આયોજન કરવામાં આવે છે. જેમાં માત્ર ખીચડી અને શાક જ બનાવવામાં આવે છે. આજે રાત્રે એટલે કે રથયાત્રાના આગલા દિવસે તેમનું જમવાનું બનાવવાનું શરૂ કરવામાં આવે છે.

દરેક શેરી અને વાળમાં અલગ-અલગ વાનગીઓનો જમણવાર યોજવામાં આવે છે. બુંદી, મોહનથાળ, મગસ પુરી અને બટાકાનું શાક જેવા વાનગીઓ બનાવવામાં આવે છે.

શું ભોજન પીરસવામાં આવશે?

પુરી- શાક

બુંદી

મોહનથાળ

ફુલવડી

ખીચડી

ચણા પુરી

ક્યાં ક્યાં જમણવારનું આયોજન?

મોટી સાળવી વાડ

લુહાર શેરી

કડીયાવાડ

તળિયાની પોળ

લીમડા પોળ

પીપળા પોળ

ગાંધીની પોળ

આંબલી વાડ(હનુમાન મંદિર)

આંબલી વાડ (રાજુ માડી)

ઠાકોરવાસ

વડવાળો વાસ

પિંઝારા વાડ (રૂડીમાનું રસોડું)

સ્વામિનારાયણ મંદિર

Back to top button