ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

ગૃહમંત્રી હર્ષ સંઘવીના સ્વર્ગવાસી પિતાની કાલે સુરત અને મંગળવારે ગાંધીનગર ખાતે પ્રાર્થનાસભા

Text To Speech

ગાંધીનગર, 17 ઓગસ્ટ : રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્રનું આજે શનિવારે સવારે દુઃખદ અવસાન થયું છે. ત્યારે તેમના સ્વર્ગવાસી પિતાની આવતીકાલે તા.18ના રોજ સુરતના અઠવાલાઈન્સ ખાતે ઈન્ડોર સ્ટેડિયમમાં બપોરે 3 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી અને ત્યારબાદ તા.20ને મંગળવારે પાટનગર ગાંધીનગરમાં મંત્રી નિવાસ કોમ્યુનિટી હોલ ખાતે સાંજે 5 કલાકથી 7 વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે.

હર્ષ સંઘવીના પિતાનું 72 વર્ષની વયે અવસાન થયું

ઉલ્લેખનીય છે કે, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું 72 વર્ષની ઉંમરે નિધન થયું છે. લાંબા સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી. તેમણે સુરતમાં હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. આજે સાંજે પાંચ વાગ્યે હર્ષ સંઘવીના નિવાસ સ્થાન ધરમ પેલેસ પારલે પોઈન્ટથી તેમની અંતિમ યાત્રા ઉમરા સ્મશાન ભૂમિ ખાતે પહોંચી હતી અને ત્યાં તેમના અંતિમ સંસ્કાર થયા હતા. રમેશચંદ્ર સંઘવી અનેક સેવા કાર્યો સાથે સંકળાયેલા હતા.

ગઈકાલથી જ હર્ષ સંઘવી સુરતમાં હતા

મહત્વનું છે કે, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંધવીના પિતા છેલ્લા ઘણા સમયથી નાતંદુરસ્તીને કારણે સારવાર લઈ રહ્યા હતા. છેલ્લા બે-ત્રણ દિવસથી તેમની તબિયત વધુ નાદુરસ્ત થતાં તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. હર્ષ સંઘવી ગઈકાલે પણ સુરતમાં જ હતા અને તેઓ હોસ્પિટલમાં પિતાની સારવાર દરમિયાન હાજર હતા. લાંબી બીમારી બાદ રમેશચંદ્ર સંઘવીનું આજરોજ નિધન થયું છે.

Back to top button