ઉત્તર ગુજરાતટોપ ન્યૂઝ

પાટણના વ્યસન મુક્તિ કેન્દ્રમાં છેલ્લા શ્વાસ સુધી યુવકને લાકડીઓ વડે માર માર્યો, પોલીસે સાતને ઝડપ્યા

પાટણ જિલ્લામાં એક વ્યસન મુક્તિ કેન્દ્રમાં માર મારવાની ઘટના પ્રકાશમાં આવી છે. કેન્દ્રમાં નશાની લત છોડાવવા આવેલા યુવકને એટલો માર મારવામાં આવ્યો હતો કે યુવકનું મોત થયું હતું. આ ઘટનામાં પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે. વ્યસન મુક્તિ કેન્દ્રના સીસીટીવીની તપાસમાં યુવકને બેરહેમીથી માર મારવામાં આવ્યો હોવાની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન યુવકે ત્યાંથી જવા માટે આજીજી કરતો રહ્યો, પરંતુ માર મારનારા યુવકોએ તેની વાત ન માની અને છેવટ સુધી તેને મારતા રહ્યા, જેના કારણે યુવકનું મોત નીપજ્યું હતું.પાટણ - Humdekhengenewsપોલીસના જણાવ્યા અનુસાર, મહેસાણા જિલ્લાના મોતીદાળ ગામનો રહેવાસી હાર્દિક સુથાર 20 દિવસ પહેલા વ્યસનમુક્તિ માટે દાખલ થયો હતો. યુવક પાટણ જિલ્લાના સિદ્ધપુર ચોકડી સ્થિત સરદાર કોમ્પ્લેક્સમાં આવેલા વ્યસન મુક્તિ કેન્દ્રમાં રહેતો હતો. દરમિયાન, સેન્ટરમાં હાજર સ્ટાફના સભ્યોએ તેને નશાની લત હોવાના કારણે માર માર્યો હતો. આ સમય દરમિયાન તે છોડવા માટે વિનંતી કરતો રહ્યો હતો પરંતુ તેમણે કોઈ નમ્રતા દાખવી નહીં. આખરે માર મારવાથી અને પ્રાઈવેટ પાર્ટ પર ઈજાના કારણે તેનું મોત થયું હતું. મૃતક 25 વર્ષીય હાર્દિકના મામાની ફરિયાદના આધારે પોલીસે વ્યસન મુક્તિ કેન્દ્રના સંચાલક સહિત સાત સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે સંદીપ પટેલ, જીતુ સાવલિયા, જૈનિશ, ગૌરવ, મહેશ રાઠોડ, જયેશ ચૌધરી અને વ્યસન મુક્તિ કેન્દ્રના ડિરેક્ટર નીતિન ચૌધરી સહિત સાત આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસની તપાસમાં માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સીસીટીવીમાં યુવક જવાની વિનંતી કરતો જોવા મળે છે, પરંતુ તેને ત્રણથી ચાર સ્ટાફે પકડી રાખ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, યુવકને ઊંધો પાડીને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. છેલ્લા શ્વાસ સુધી તે આજીજી કરતો રહ્યો, પરંતુ તે પછી તેનો શ્વાસ બંધ થઈ ગયો. પોલીસના જણાવ્યા અનુસાર, યુવકને લગભગ દોઢ કલાક સુધી ટોર્ચર કરવામાં આવ્યો હતો અને બેથી ત્રણ સ્ટાફે તેને લાકડીઓ વડે માર માર્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ રાજ્યના વ્યસન મુક્તિ કેન્દ્રની મોડસ ઓપરેન્ડી પર પણ સવાલો ઉઠી રહ્યા છે કે શું અન્ય વ્યસન મુક્તિ કેન્દ્રોમાં પણ આ જ રીતે ત્રાસ અને મારપીટ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : અદાણી પોર્ટ પરથી બે વર્ષમાં રુ. 375 કરોડ કરતાં વધુનું ડ્રગ્સ ઝડપાયું

યુવકના મોત બાદ વ્યસનમુક્તિ કેન્દ્રના સ્ટાફે પરિવારજનોને ગેરમાર્ગે દોર્યા હતા અને માર મારવાને બદલે લો બ્લડપ્રેશરના કારણે યુવકનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. પોલીસમાં આપેલી ફરિયાદમાં મૃતક હાર્દિકના મામાએ કહ્યું હતું કે અમને ગેરમાર્ગે દોરી હાર્દિકનો અંતિમ સંસ્કાર કરાવ્યાનો આક્ષેપ કર્યો છે. સીસીટીવી ફૂટેજની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે મૃતક યુવકના પ્રાઈવેટ પાર્ટ પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો.

Back to top button