ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

પીએમ મોદીએ સોમનાથમાં કરી પૂજા, જુઓ વીડિયો

Text To Speech

સોમનાથ, તા. 2 માર્ચ, 2025ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ત્રણ દિવસનાં ગુજરાતનાં પ્રવાસે છે. આજે તેમના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. જામનગરના વનતારામાંથી બપોર સુધી રોકાયા બાદ તેઓ સોમનાથ આવ્યા હતા. જ્યાં તેમણે પૂજા અર્ચના કરી હતી. વડાપ્રધાનનાં આગમનને લઈને સોમનાથમાં ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સોમનાથ ખાતે હેલિપેડ ખાતે હેલિકોપ્ટરનું ઉતરાણ થયું હતું અને ત્યાથી સોમનાથ મંદિર પહોંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં પણ હાજર રહેશે અને આ બેઠકમાં કામગીરી મુદ્દે ચર્ચા કરવામાં આવી શકે છે.

શનિવારે જામનગરમાં રાત્રિ રોકાણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે જ વનતારા પહોંચી ગયા હતા. જ્યાં અંબાણી પરિવાર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વનતારામાં ચાર કલાક જેટલું રોકાણ કર્યા બાદ સોમનાથ જવા રવાના થયા હતા.

શનિવારે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે વડા પ્રધાન મોદીનું પ્રધાન રાઘવજી પટેલ, મુળુ બેરા, રીવાબા જાડેજા અને સાંસદ પૂનમ માડમે સ્વાગત કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાંજે ૭:૩૦ કલાકે જામનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. જામનગર એરપોર્ટથી પાયલોટ બંગલા સુધીના માર્ગ પર રોડ શો યોજાયો હતો. આ દરમિયાન રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વડા પ્રધાનની મુલાકાતને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.


આ પણ વાંચોઃ માધવી પુરી બુચ સામે થશે FIR, મુંબઈ કોર્ટનો આદેશ

Back to top button