ટોપ ન્યૂઝનેશનલ

PM મોદીએ ઈઝરાયેલના પીએમ સાથે કરી વાત, ભારત આવવા આપ્યું આમંત્રણ

Text To Speech

PM મોદીએ ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ ભારત આવવા માટે બેન્જામિન નેતન્યાહુને આમંત્રણ આપ્યું હતું. નેતન્યાહુ ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે. પીએમ મોદીએ નેતન્યાહુને છઠ્ઠી વખત ઇઝરાયેલના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમના સફળ કાર્યકાળની શુભેચ્છા પણ પાઠવી હતી.

Israel PM Benjamin Netanyahu and PM Modi
Israel PM Benjamin Netanyahu and PM Modi

આ સંદર્ભમાં પીએમ મોદીએ ટ્વિટ કર્યું, “મારા સારા મિત્ર ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરીને આનંદ થયો. ચૂંટણીમાં તેમની પ્રભાવશાળી જીત અને રેકોર્ડ છઠ્ઠી વખત પ્રધાનમંત્રી બનવા બદલ તેમને અભિનંદન. ખુશી છે કે અમારી પાસે ભારત-ઇઝરાયેલ વ્યૂહાત્મક ભાગીદારી સાથે મળીને આગળ વધવાની તક મળશે.”

બંને નેતાઓએ તાજેતરના વર્ષોમાં ભારત-ઈઝરાયેલ વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી ઝડપી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને વિવિધ ક્ષેત્રોમાં વ્યૂહાત્મક સહયોગને વધુ મજબૂત કરવાની ક્ષમતા પર સંમત થયા હતા. વડાપ્રધાન મોદીએ ઈઝરાયેલના પ્રધાનમંત્રીને પણ આમંત્રણ આપ્યું હતું.

Back to top button