ટોપ ન્યૂઝનેશનલ

PM મોદીએ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસને પાઠવ્યા અભિનંદન

Text To Speech

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકનાથ શિંદેને મહારાષ્ટ્રના નવા સીએમ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તો સાથે સાથે દેવેન્દ્ર ફડણવીસને અભિનંદન પાઠવતા મોટી વાત કરી હતી. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે એકનાથ શિંદે એવા ગ્રાસરૂટ નેતા છે જે મહારાષ્ટ્રને ઉંચાઈ પર લઈ જશે.

મહારાષ્ટ્રના રાજકારણમાં આજનો દિવસ ખૂબ જ ચોંકાવનારો હતો. ભાજપે શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેને રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે આગળ કર્યા છે. એકનાથ શિંદે રાજભવનમાં સીએમ પદના શપથ લઈને મહારાષ્ટ્રના નવા સીએમ બન્યા છે. જ્યારે શિંદે કેબિનેટમાં દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમનું પદ સંભાળશે.

પીએમ નરેન્દ્ર મોદીએ બીજેપી ગઠબંધન સાથે એકનાથ શિંદેના રાજ્યાભિષેક પર શિંદેને અભિનંદન પાઠવ્યા છે. “હું મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદે જીને અભિનંદન આપું છું. એક જમીન સાથે જોડાયેલા નેતા હોવા ઉપરાંત શિંદે પાસે સમૃદ્ધ રાજકીય, કાયદાકીય અને વહીવટી અનુભવ છે. મને ખાતરી છે કે તેઓ મહારાષ્ટ્રને વધુ ઉંચાઈઓ પર લઈ જશે.

Back to top button