ગુજરાતવિશેષ

રાજકોટમાં PM મોદી ‘મીની કમલમ્’ ભાજપ કાર્યાલયનું ઉદ્ધાટન કરે તેવી શક્યતા

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકોટમાં ભાજપ દ્વારા ગુજરાતનું બીજું કમલમ કાર્યાલય તૈયાર થઇ ગયું છે. સૌરાષ્ટ્રના પોલીટીકલ હબ ગણાતા રાજકોટમાં મીની કમલમનું નિર્માણ થતા 19મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ધાટન થાય તેવી શક્યતા છે.

આ પણ જુઓ: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર નવા બનેલા અટલ બ્રિજ પાસે બોમ્બ ફુટ્યો, જાણો વીડિયોનું સત્ય

શહેર ભાજપનું ત્રણ માળનું નવું કાર્યાલય તૈયાર

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના જણાવ્યા પ્રમાણે, એક અઠવાડિયામાં 150 ફૂટ રીંગરોડ પર શીતલ પાર્ક પાસે 2200 વારમા શહેર ભાજપનું ત્રણ માળનું નવું કાર્યાલય તૈયાર થઇ ગયું છે. જેમાં હાલ ફીનીશીંગ વર્ક ચાલી રહ્યું છે. જેમાં સેલરમાં પાર્કીંગ, ગ્રાઉન્ડ ફ્લોરમાં મિટીંગ કમ ભોજનકક્ષ, પહેલા માળે મહાનગર પ્રમુખ, કાર્યાલયમંત્રી, મહામંત્રી, વિવિધ મોરચા, આઈ.ટી.-સોશ્યલ મીડિયા વોરરૂમ, પ્રેસ કોન્ફ્રન્સ રૂમ, બીજા માળ પર પ્રદેશ અધ્યક્ષ અથવા ઝોનલ મહામંત્રી, મોરચા-સેલની ચેમ્બરો અને કોન્ફ્રન્સરૂમ તથા ત્રીજા માળે ઓડીટોરીયમ હોલ બનશે. 19મીએ પી.એમ.મોદી નવા કાર્યાલયનું ઉદ્ધાટન કરે તેવી પૂરી શક્યતા છે. નવા કાર્યાલયના પ્રારંભ બાદ જૂનું કાર્યાલય ચાલુ રહેશે તેવું શહેર પ્રમુખે જણાવ્યું હતું.

આ પણ વાંચો: PM મોદીની અંગત ડાયરીના પેજ વાયરલ, જાણો શું છે અંદરના રહસ્યો

Back to top button