ટ્રેન્ડિંગધર્મ
પિતૃ પક્ષ 2023: ઘરની મહિલાઓએ ભૂલથી પણ આ કામ ન કરવા જોઈએ


- પિતૃ પક્ષ દરમિયાન ઘરની મહિલાઓએ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નહિ તો તમારા પૂર્વજો તમારાથી નારાજ થઈ શકે છે. જાણો પિતૃ પક્ષ દરમિયાન શું કરવું અને શું ન કરવું.
પિતૃપક્ષ 15 દિવસ સુધી ચાલે છે. શાસ્ત્રો અનુસાર પિતૃ પક્ષનો દિવસ પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરવા માટે શુભ છે. ભાદરવા મહિનાની પૂનમથી પિતૃ પક્ષ શરૂ થાય છે. આ વખતે પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બરની પૂર્ણિમાના દિવસથી શરૂ થયો હતો અને 14 ઓક્ટોબરે સમાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન ઘરની મહિલાઓએ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નહિ તો તમારા પૂર્વજો તમારાથી નારાજ થઈ શકે છે. ચાલો જાણીએ પિતૃ પક્ષ દરમિયાન શું કરવું અને શું ન કરવું.
પિતૃપક્ષ દરમિયાન મહિલાઓએ આ 6 બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
- પિતૃપક્ષ દરમિયાન મહિલાઓએ સાંજના સમયે દીવો ચોક્કસથી પ્રગટાવવો જોઈએ. ધ્યાન રાખો કે પિતૃપક્ષ દરમિયાન દરરોજ એક દીવો ઘરની બહાર દક્ષિણ દિશા તરફ રાખો. જે લોકો ફ્લેટમાં રહે છે તેઓ તેમના ઘરની બાલ્કનીમાં દક્ષિણ તરફ મુખ કરીને દીવો પ્રગટાવી શકે છે.
- પિતૃપક્ષ દરમિયાન તમારા પરિવારમાં વાદ-વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું. મહિલાઓએ તેમના પરિવારમાં સુમેળ જાળવવાનો પ્રયાસ કરવો જોઈએ.
- સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન શ્રાદ્ધ તર્પણનું ભોજન ન બનાવવું જોઈએ. જો ઘરમાં બીજી કોઈ સ્ત્રી હોય તો તમે બીજી કોઇ વ્યક્તિ સાથે રસોઇ બનાવડાવી શકો છો.
- પિતૃ પક્ષ દરમિયાન સાંજના સમયે ઘરમાં ઝાડૂ ન લગાવો કે અન્ય કોઈ સફાઈ કામ ન કરો.
- પિતૃ પક્ષ દરમિયાન દરરોજ, જ્યારે પણ તમે ભોજન તૈયાર કરો છો, ત્યારે તેમાંથી એક ભાગ કાઢીને પિતૃઓના નામ પર ગાયને ખવડાવો. તમારે રોજેરોજ આ કરવાની જરૂર છે.
- પિતૃપક્ષમાં શ્રાદ્ધ કે તર્પણની તિથિ હોય તે દિવસે પિતૃઓની પસંદગી પ્રમાણે ભોજન તૈયાર કરવું.
આ પણ વાંચોઃ પિતૃ પક્ષમાં શું હોય છે માતૃ નવમી કે માતૃ શ્રાદ્ધનું મહત્ત્વ, જાણો ક્યારે છે?