લોકોએ INDIAને બદલે ભારત શબ્દનો ઉપયોગ કરવાની આદત કેળવવી જોઈએ’- RSS ચીફ મોહન ભાગવત


નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) સરસંઘના ચાલક મોહન ભાગવતે એક કાર્યક્રમ દરમિયાન લોકોને ઇન્ડિયાને બદલે ભારત નામનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું, સદીઓથી આ દેશનું નામ ભારત છે, ઇન્ડિયા નહીં. તેથી આપણે તેના જૂના નામનો જ ઉપયોગ કરવો જોઈએ.
સર સંઘ પ્રમુખ સકલ જૈન સમાજના એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું, ‘સદીઓથી આપણા દેશનું નામ ભારત રહ્યું છે. ભાષા ગમે તે હોય, નામ એક જ રહે છે. ભાગવતે કહ્યું, ‘આપણો દેશ ભારત છે અને આપણે તમામ વ્યવહારિક ક્ષેત્રોમાં ઇન્ડિયા શબ્દનો ઉપયોગ બંધ કરવો પડશે અને ભારત શબ્દનો ઉપયોગ શરૂ કરવો પડશે, તો જ પરિવર્તન આવશે.
ભારતમાં રહેતો દરેક વ્યક્તિ ‘હિંદુ’ છે.
અગાઉ તેમણે શુક્રવારે (1 સપ્ટેમ્બર 2023) કહ્યું હતું કે ભારત એક ‘હિંદુ રાષ્ટ્ર’ છે અને તમામ ભારતીયો હિન્દુ છે અને તમામ ભારતીયો હિન્દુત્વનું પ્રતિનિધિત્વ કરે છે. લોકોની અપેક્ષાઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે સંઘે આ બધા વિશે વિચારવું જોઈએ.
ભારતમાં દરેક વ્યક્તિ ‘હિંદુ સંસ્કૃતિ, હિંદુ પૂર્વજો અને હિંદુ ભૂમિનો છે’
એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું, ‘હિન્દુસ્તાન એક હિંદુ રાષ્ટ્ર છે અને આ હકીકત છે. વૈચારિક રીતે બધા ભારતીયો હિન્દુ છે અને હિન્દુનો અર્થ બધા ભારતીયો છે. આજે જે લોકો ભારતમાં છે તે બધા હિંદુ સંસ્કૃતિ, હિંદુ પૂર્વજો અને હિંદુ ભૂમિના છે, અને બીજું કંઈ નથી.
ભાગવતે કહ્યું, ‘કેટલાક લોકો તેને સમજી ગયા છે, જ્યારે કેટલાક પોતાની આદતો અને સ્વાર્થના કારણે તેને સમજ્યા પછી પણ તેનો અમલ નથી કરી રહ્યા. આ ઉપરાંત, કેટલાક લોકો તેને હજી સુધી સમજી શક્યા નથી અથવા ભૂલી ગયા છે. ભાગવતે કહ્યું કે ‘આપણી વિચારધારા’ની સમગ્ર વિશ્વમાં ખૂબ માંગ છે. તેમણે કહ્યું કે વાસ્તવમાં આ વિચારધારાનો કોઈ વિકલ્પ નથી.
આ પણ વાંચો-આદિત્ય એલ-1 સેટેલાઇટ કઈ ધાતુથી બનેલો છે, સૂર્યની તીવ્ર ગરમી પણ તેના પર અસર નહીં કરે