મનોરંજન

‘પઠાણ’ શાહરૂખ સાથે નહીં કામ કરે ‘પુષ્પા’ અલ્લુ અર્જુન, આપ્યું મોટું કારણ

Text To Speech

પઠાણ‘ની સુપરહિટ ફિલ્મ બાદ ફેન્સ શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે આ ફિલ્મમાં અલ્લુ અર્જુનના રોલને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. જેના કારણે ચાહકો નિરાશ થઈ શકે છે. તાજેતરમાં શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ની ઓફરને અલ્લુ અર્જુને નકારી કાઢી હતી. ત્યારે સૌ કોઈમા તે વાત જાણવાની જિજ્ઞાસા હશે કે અલ્લુ અર્જુને આ ઓફરને કેમ નકારી કાઢી ? ત્યારે આ ફિલ્મને નકારવા પાછળનું કારણ સામે આવ્યું છે.

આ કારણે શાહરૂખ ખાનની ફિલ્મમાં કામ કરવાની ના પાડી

પઠાણની સફળતા બાદ શાહરૂખ ખાન ટૂંક સમયમાં જ ‘જવાન’ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં કેમિયો માટે અલ્લુ અર્જુનનો સંપર્ક કરવામાં આવ્યો હતો, અને કહેવામા્ં આવી રહ્યું છે કે જવાન ફિલ્મ માટે મેકર્સ અને અલ્લુ અર્જુન વચ્ચે ચર્ચા પણ થઈ ગઈ હતી. અને અલ્લુ અર્જુને આ ફિલ્મની સ્ટોરી પણ વાંચી લીધી હતી. પરંતુ તેણે આ ફિલ્મ માટે ના પાડી દીધી હતી. જો કે તેની પાછળનું કારણ અભિનેતાએ પોતાના વ્યસ્ત શિડ્યુલને જણાવ્યું છે. તેમજ હાલ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે તે બોલીવુડથી દૂર ભાગી રહ્યો છે.

અલ્લુ અર્જુન-humdekhengenews

અલ્લુ અર્જુન હાલ પુષ્પા 2 ફિલ્મમાં વ્યસ્ત

જાણવા મળી રહ્યું છે અલ્લુ અર્જુનન બોલિવુડમાં કામ કરવા નથી માંગતો. જો કે અલ્લુ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘પુષ્પા ધ રૂલ’માં ખૂબ જ વ્યસ્ત છે. અને આ ફિલ્મમાં તે પોતાના રોલ માટે ખૂબ મહેનત કરી રહ્યો છે. અને તેના વ્યસ્ત સિડ્યુડલના કારણે તે જવાનમાં રોલ નહી કરી શકે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર પેટાચૂંટણી: કસ્બા પેઠમાં ભાજપનો 28 વર્ષનો અજેય કિલ્લો કોંગ્રેસના રવિન્દ્ર ધંગેકરે તોડી નાખ્યો

Back to top button