ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત સરકાર દીકરીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ: સરસ્વતીનાં કાતરા ગામની શાળામાં ઉદ્યોગ મંત્રીએ કહ્યું

Text To Speech

પાટણ 27 જૂન 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહ્યા મુજબ शिक्षा न केवल वह नींव है जिस पर हमारी सभ्यता का निर्माण हुआ है, बल्कि यह मानवता के भविष्य की शिल्पकार भी है” ને સાર્થક કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ 21 મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2024″ ના બીજા દિવસે સરસ્વતી તાલુકાના કાતરા ગામે પ્રાથમિક શાળામાં ઉદ્યોગ તથા કુટીર મંત્રી બલવંતસિંહ રાજપૂતે હાજરી આપી નાના ભૂલકાઓનો ઉત્સાહ વધાર્યો.

72 નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ અપાવ્યો: ઉદ્યોગ મંત્રી

આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે કાર્યક્રમને લઈને જણાવ્યું હતું કે બાલ સંગીતવૃંદ, વૃક્ષો અને દીકરી અંગે બાળવક્તાઓની રજૂઆત, તેજસ્વી વિદ્યાર્થી સન્માન, લર્નિંગ કોર્નર, શાળાની સમીક્ષા, વૃક્ષારોપણ, સ્માર્ટ ક્લાસરુમ એ આજના કાર્યક્રમની વિશેષતા રહી હતી સાથે હાલ 236 વિદ્યાર્થીઓ ધરાવતી આ શાળામાં આજે બાલવાટિકામાં 37, ધોરણ-1 માં 35, એમ કુલ 72 નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ અપાવ્યો હતો જે પૈકી 39 કુમાર અને 33 કન્યાઓ છે. તેમજ અંતે તેમણે જણાવ્યું હતું કે “ગુજરાતની સરકાર દીકરીઓના સર્વાંગી વિકાસ થાય તે માટે કેટલી કટિબદ્ધ છે. તેને સાર્થક કરતો આ કાર્યક્રમ છે જેમાં વિશેષ હાજરી આપી.

વહીવટી તંત્રના અધિકારીઓ, આગેવાનો જોડાયા

આ પ્રસંગે બલદેવભાઈ, રમેશભાઇ, પ્રહલાદભાઇ, કાંતિભાઈ, મદાર ઠાકોર, પ્રકાશભાઇ , પશાભાઈ, લીલાભાઇ, વિક્રમસિંહ, જશુભાઈ, લાલાભાઈ, સહિત સામાજિક આગેવાનો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા .

આ પણ વાંચો : “ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની” : પ્રથમ દિવસની પ્રથમ શાળા પ્રસંગે ઉદ્યોગ મંત્રી હાજર રહ્યા, જાણો શું કહ્યું?

Back to top button