કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

પાટણ : સમીના શંખેશ્વર માર્ગ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ત્રણ યુવકોના મોત

Text To Speech

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે ત્યારે આજ રોજ રક્ષાબંધનના દિવસે રાજ્યમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. પાટણના સમી-શંખેશ્વર હાઇવે પર ગોઝારો અકસ્માતમાં ત્રણ યુવકોના મોત થયા છે.

સમીના શંખેશ્વર માર્ગ પર અકસ્માત

પ્રાપ્ત વિગતો મુજબ પાટણના સમી-શંખેશ્વર હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં શંખેશ્વર માર્ગ પર સમી પોલીસ સ્ટેશન નજીક કેનાલ માર્ગ પાસે પૂરપાટ ઝડપે આવતી વેગનઆર કારના ચાલકે સ્ટિંયરિંગ પર કાબૂ ગુમાવતા કાર આગળ જઈ રહેલી આઈસર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કાર ધડાકાભેર અથડાતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો જ્યારે કારમાં સવાર ત્રણ યુવકોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. અને આ અકસ્માત અંગે પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને પોલીસે કારમાંથી મૃતકોના મૃતદેહ બહાર કાઢી તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતક યુવાનો રાધનપુરના વતની

આ અકસ્માત રાતના સમયે સર્જાયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તેમજ આ ઘટનામાં મૃતક યુવાનો રાધનપુરના હોવાની વિગતો સામે આવી છે.

 આ  પણ વાંચો : LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, રક્ષાબંધનની ભેટ કે ચૂંટણીનો નિર્ણય? 

Back to top button