કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રાવેલ

રાજકોટથી દિલ્હીની ફ્લાઈટ કલાકો સુધી ન ઉપડતા એરપોર્ટમાં મુસાફરોનો હોબાળો

Text To Speech

આજે શનિવારે સાંજે રાજકોટ એરપોર્ટ ઉપર મુસાફરોએ હોબાળો મચાવ્યાની ઘટના સામે આવી છે. રાજકોટથી દિલ્હી જવા માટે બપોરે 3 કલાક આસપાસ ઉપડતી એર ઇન્ડિયાની ફ્લાઈટ કોઈ કારણસર કલાકો સુધી ઉપડી ન હતી. મુસાફરો વાંરવાર એરપોર્ટ સ્ટાફ પાસેથી જવાબ માંગતા હતા પરંતુ ત્યાંથી કોઈ સંતોષકારક જવાબ ન મળતા આખરે 100 થી વધુ મુસાફરોની ધીરજ ખૂટી હતી અને તેઓએ હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચો : મની હેઇસ્ટ વેબ સિરીઝ જોઈને મેનેજરે પોતાની જ બેંકમાંથી કરી રૂ. 34 કરોડની ચોરી, જાણો કેવી રીતે ખુલી પોલ

વિદેશ જનારા મુસાફરોને કનેક્ટીંગ ફ્લાઈટ કેન્સલ કરવી પડી

રાજકોટથી દિલ્હી જતી એર ઇન્ડિયાની AI-404 ફ્લાઈટ કોઈ કારણોસર કલાકો સુધી રાજકોટથી ઉપડી ન હતી. બપોરે 3 કલાક આસપાસ ઉપડતી ફલાઇટ મોડી થવાના કારણે દિલ્હીથી વિદેશ જનારા મુસાફરોને કનેક્ટીંગ ફ્લાઈટ પણ કેન્સલ કરવી પડી હતી. જેના કારણે રાજકોટ એરપોર્ટ પર આજે મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. એરપોર્ટ પર મુસાફરોએ અધિકારીઓને ઉધડા લીધા હતા.

આ પણ વાંચો : પીએમના કાર્યક્રમ અને પૂનમને ધ્યાનમાં રાખી બહુચરાજી જતા વાહનો માટે ડાયવર્ઝન અપાયું, જાણો નવો રૂટ

Back to top button