ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર જતા મુસાફરો ખાસ આ સમાચાર વાંચો

Text To Speech
  • વેકેશનને લઈ વતન જતા યાત્રિકોની સ્ટેશન પર ભીડ જામી
  • સમયસર ટ્રેન ન મળતા પેસેન્જરો મુશ્કેલીમાં મુકાયા
  • ઉનાળામાં ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોના એડવાન્સ બુકીંગ

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર જતા મુસાફરો માટે ખાસ સમાચાર સામે આવ્યા છે. જેમાં કાલુપુર સ્ટેશન પર મુસાફરોને હાલાકી પડી રહી છે. તેમાં સમયસર ટ્રેન ન મળતાં મુસાફરો હાલાકીમાં આવ્યા છે. તેમજ વેકેશનને લઈ વતન જતા યાત્રિકોની સ્ટેશન પર ભીડ જોવા મળી રહી છે.

સમયસર ટ્રેન ન મળતા પેસેન્જરો મુશ્કેલીમાં મુકાયા

ઉનાળુ વેકેશનની અસર કાલુપુર રેલવે સ્ટેશન પર વર્તાઈ રહી છે. જેમાં સમયસર ટ્રેન ન મળતા પેસેન્જરો મુશ્કેલીમાં મુકાયા છે. ઉનાળામાં ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોના એડવાન્સ બુકીંગ થયા છે. તેમાં બીજી તરફ ટ્રેન સમયસર ન મળતા પેસેન્જરો બેહાલ થયા છે. ત્યારે ટ્રેન સમયસર ન આવતા પેસેન્જરોની પ્લેટફોર્મ પર ભીડ જામી છે. તેમાં પેસેન્જરોએ ટ્રેનની રાહ જોવામાં રાત પ્લેટફોર્મ પર વિતાવી પડી છે. તેમજ પ્લેટફોર્મ પર પેસેન્જરો સુવા પર મજબૂર બન્યા છે.

વેકેશનને લઈ વતન જતા યાત્રિકોની સ્ટેશન પર ભીડ જામી

સમયસર ટ્રેન ન મળતાં મુસાફરો હાલાકીમાં મુકાયા છે. વેકેશનને લઈ વતન જતા યાત્રિકોની સ્ટેશન પર ભીડ જામી છે. જેમાં સમયસર ટ્રેન ન મળતાં યાત્રિકો પ્લેટફોર્મ પર સુવા મજબૂર બન્યા છે. પંજાબ, ઉત્તર ભારત સહિતની ટ્રેનો સમયસર ન હોવાની ફરિયાદ સામે આવી રહી છે. સમયસર ટ્રેન મળી રહે તેવી વ્યવસ્થા કરવા રેલવે તંત્રને પેસેન્જરોએ અપીલ કરી છે. જેમાં ઉનાળુ વેકેશનમાં કાલુપુર રેલવે સ્ટેશન હજુ પણ ભીડ વધવાની આશંકા છે. ત્યારે રેલવે તંત્ર દ્વારા આ આકરી ગરમીમાં મુસાફરોમાં માટે વધુ સારી વ્યવસ્થા અપાય તેવી મુસાફરો માંગ કરી રહ્યાં છે.

Back to top button