ચૂંટણી 2022દક્ષિણ ગુજરાત

મતદાન જાગૃત્તિ માટે પાણીપુરી વિક્રેતાએ આપ્યો અનોખો સંદેશ

Text To Speech

બિકાનેર, રાજસ્થાનથી સુરત આવેલા ધર્મેન્દ્ર અગ્રવાલે MCMC/મીડિયા સેન્ટર, આયોજન ભવન, બહુમાળી કેમ્પસ, નાનપુરા, સુરત ખાતે વિવિધ રંગબેરંગી પાણી પૂરીઓથી મતદાન જાગૃતિનો સિમ્બોલ બનાવ્યો છે.

મતદાન જાગૃત્તિ માટે પાણીપુરી વિક્રેતાએ આપ્યો અનોખો સંદેશ - humdekhengenews

આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે, અને લોકશાહીના પર્વની ઉજવણીમાં સહભાગી બને એ માટે ધર્મેન્દ્ર અગ્રવાલે પાણીપૂરી વડે તા. 1 ડિસેમ્બર, હું વોટ કરીશ: અવસર લોકશાહીનો’ લખીને પોતાની કલાકારીગરી વડે અનોખી રીતે લોકોને જાગૃત્ત કરવાનો સંદેશ આપ્યો છે.

આ પણ વાંચો :  ગુજરાતની ચૂંટણી 2022 : 19 ટકાથી વધુ દાગી ઉમેદવાર

મતદાન જાગૃત્તિ માટે પાણીપુરી વિક્રેતાએ આપ્યો અનોખો સંદેશ - humdekhengenews

તેઓ બિકાનેરમાં પાણીપૂરીનો વ્યવસાય કરે છે અને રાજસ્થાનમાં અગાઉ પાણીપૂરીઓ વડે આ પ્રકારના વિવિધ જનજાગૃત્તિ સંદેશ આપી ચૂક્યા છે.

 

Back to top button