ધર્મફૂડહેલ્થ

દરેક પૂજામાં જરૂરી હોય છે પંચામૃત, આ રીતે બનાવશો તો આરોગ્યને મળશે ગજબના ફાયદા

Text To Speech

ઘર પર કોઈ પૂજા હોય કે પછી મંદિરમાં મળતી પ્રસાદની વાત હોય પંચામૃત ધાર્મિક અને આરોગ્યની દ્રષ્ટીથી ખૂબ ફાયદાકારી ગણાય છે. હિંદુ ધર્મના મુજબ પંચામૃત કોઈ પણ પ્રકારની પૂજા માટે શુભ ગણાય છે. આ પવિત્ર જળના મિશ્રણનો ઉપયોગ દેવતાઓની મૂર્તિઓને સ્નાન કરાવવા માટે પણ કરાય છે. આટલુ જ નહી આ બધા આરાધ્ય દેવોના ભોગના રૂપમાં ચઢાવાય છે. કૃષ્ણ જન્માષ્ટમી ઉપર શ્રી કૃષ્ણના જન્મ પછી તેમના અભિષેક પણ આ પંચામૃતથી જ હોય છે. તો આવો જાણીએ કેવી રીતે બનાવીએ છે આરોગ્ય અને શ્રદ્ધાથી ભરપૂર પંચામૃત અને શું છે તેનું મહત્વ અને આરોગ્ય માટે ફાયદા

પંચામૃત પ્રસાદ બનાવવા માટેની સામગ્રી : 1/2 કપ દૂધ, 1/2 કપ દહીં, 1 ચમચી મધ, 1 ચમચી ખાંડ,1 ચમચી દેશી ઘી, 1 તુલસીનું પાન.

પંચામૃત પ્રસાદ બનાવવાની રીત : સૌથી પહેલા એક વાસણમાં દહીં નાખી સારી રીતે ફેંટી લો, હવે તેમાં દૂધ, મધ, ખાંડ અને ઘી મિક્સ કરો., તૈયાર છે પંચામૃત પ્રસાદ તેમાં એક પાન પણ નાખી દો., તેનાથી પહેલા ભગવાનનો અભિષેક કરાવો., ત્યારબાદ પૂજા અર્ચના કરી બધાને વહેંચો

આ છે પંચામૃતના ફાયદા : તે પિત્ત દોષને સંતુલિત કરે છે આયુર્વેદ અનુસાર, તેનું સેવન પિત્ત દોષને સંતુલિત રાખવામાં મદદ કરે છે. પંચામૃત રોગપ્રતિકારક શક્તિ સુધારે છે. યાદશક્તિ વધારે છે અને સર્જનાત્મક ક્ષમતાઓને પ્રોત્સાહન આપે છે. તે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે.,અને વાળ સ્વસ્થ રાખે છે. આયુર્વેદ મુજબ જો ગર્ભાવસ્થા દરમિયાન તેનું સેવન કરવામાં આવે તો માતા અને ગર્ભ બંને સ્વસ્થ રહે છે.

સ્વાસ્થ્ય માટે પંચામૃતનું મહત્વ જાણી લો… : આરોગ્ય અને ધાર્મિક દ્રષ્ટિકોણથી પંચામૃતમાં પાંચ વસ્તુઓ સામેલ છે, જેનું પોતાનું વિશેષ મહત્વ છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી, દૂધ શુદ્ધતા દર્શાવે છે. તેથી જ્યારે ઘી શક્તિ અને વિજય માટે છે. મધ મધમાખીઓ દ્વારા ઉત્પન્ન થાય છે, તેથી તે સમર્પણ અને એકાગ્રતાનું પ્રતીક છે. ખાંડની મીઠાશ અને આનંદ, દહીં સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.

Back to top button