ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: ભાભરના લૂણસેલામાં સંત શ્રી સદારામ બાપાની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, 60 હજાર ભાવિકો બન્યા સહભાગી

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના લૂણસેલા ગામ ખાતે સદારામ બાપા ની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ઠાકોર સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે અંદાજિત 60 હજાર થી પણ વધુ લોકો આ પ્રતિષ્ઠા મહોત્સવ માં જોડાયા.

બહારથી આવતા યાત્રિકો તેમજ ભક્તો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. અને બે દિવસમાં મોટી સંખ્યામાં ભાવિકોએ પ્રસાદનો પણ લાભ લીધો હતો. આ મહોત્સવ માં સામાજિક કાર્યકરો, વડીલો તેમજ સ્વયંમ સેવકો મોટી સંખ્યામાં સેવા માં જોડાયા હતા. રાત્રિ ના સમયે યુટ્યુબ સ્ટાર ગુજજુ લવ ગુરૂ અને વહતા વોલેઝ બોએ લોક ડાયરા ની રમઝટ બોલાવી ત્યારે લોકોએ રૂપિયાનો નો વરસાદ વરસાવ્યો હતો..આ મહોત્સવ નો આવતી કાલે આખરી દિવસ છે. ત્યારે આજે પણ મોટી સંખ્યામાં ભક્તો નું ઘોડાપૂર ઉમટ્યું હતું અને મોટી સંખ્યામાં ભક્તો સદારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

આ પણ વાંચો : પાલનપુર : શિવરાત્રી પર્વ નિમિત્તે “સ્વસ્તિક બાલમંદિર”માં બાળકો દ્વારા શિવ પૂજન કરાયું

Back to top button