ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : હિન્દૂ સમાજની મહારેલીમાં યુવકો પર લાઠીચાર્જ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ

Text To Speech

પાલનપુર : ડીસામાં લવ જેહાદ બાબતે 2 દિવસ અગાઉ યોજાયેલી રેલીમાં શાંતિપૂર્ણ કૂચ કરતા હિન્દુ યુવકો પર પોલીસે અચાનક લાઠીચાર્જ કર્યો હતો. જે બાબતને લઈ લાઠીચાર્જ કરનાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવા હિન્દુ રક્ષક સમિતિએ ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

ડીસામાં મુસ્લિમ યુવક દ્વારા હિન્દુ યુવતીને લવ જેહાદમાં ફસાવી તેના પરિવાર જનોને ધર્માંતરણ કરાવાયું હોવાની બાબતને લઈ હિન્દુ સમાજ દ્વારા આક્રોશ રેલી યોજાઇ હતી. શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલી આ રેલીમાં પોલીસ કર્મચારીઓ દ્વારા હીરા બજાર આગળ અચાનક જ લાઠી ચાર્જ શરૂ કરી દેતા કેટલાક યુવકો ઘવાયા હતા. શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલી રેલીમાં અચાનક લાઠીચાર્જથી હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો.

તેથી હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા આજે ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી લાઠીચાર્જ કરનાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી નહીં કરાય તો હિન્દુ સમાજ ધરણા પર બેસશે તેવી ચીમકી પણ આવેદનપત્રમાં ઉચ્ચારવામાં આવી છે.

Back to top button