ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતનું અગ્રણીઓએ શાલ ઓઢાડી કર્યું સન્માન

Text To Speech
  • મગરવાડા માણિભદ્રવીર અને ઉકરડા ખાતે મહાદેવના દર્શન કર્યા

પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં પધારેલા ઉદ્યોગ તથા શ્રમ અને રોજગાર વિભાગના કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે વડગામ તાલુકાના મગરવાડા ખાતે માણિભદ્રવીર અને પાલનપુર તાલુકાના ઉકરડા ખાતે મહાદેવના ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજા અર્ચન કર્યા હતા. આ પ્રસંગે મગરવાડા મંદિરના યતિશ્રી વિજયસોમજી મહારાજ સાહેબે મંત્રીને આશીર્વાદ પાઠવ્યા હતા. ઉકરડા ખાતે પૂજ્ય સંતશ્રી ચીનુભારથી મહારાજે મંત્રીનું કુમ કુમ તિલક કરી શાલ ઓઢાડી સન્માન કરીને આશિર્વાદ પાઠવ્યા હતા. જ્યારે અગ્રણીઓેએ મંત્રીનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું.

 

બલવંતસિંહ રાજપુત-humdekhengenews

મંત્રીએ મગરવાડા માણિભદ્રવીર દાદા અને ઉકરડા ખાતે મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નવનિયુક્ત મંત્રી બલવંતસિંહ રાજપુતે બનાસકાંઠા જિલ્લાના વિકાસની નેમ વ્યક્ત કરતાં જણાવ્યું કે, આપણા લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યની સાથે સાથે બનાસકાંઠા જિલ્લો પણ વિકાસની નવી ઉંચાઈઓ સર કરશે.

બલવંતસિંહ રાજપુત-humdekhengenews

મંત્રીની મુલાકાત પ્રસંગે ઉકરડા ખાતે ધારાસભ્ય માવજીભાઇ દેસાઇ, અગ્રણીઓ ભગુભાઇ કુગશીયા, નટુભાઇ ચાૈધરી, દિનેશભાઇ દવે, બાબુભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લા ભાજપ કારોબારી બેઠક ન્યુ કમલમ ખાતે યોજાઈ

Back to top button