ટોપ ન્યૂઝનેશનલવર્લ્ડ

પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક, 7 તાલિબાનીઓ માર્યા ગયા

Text To Speech

પાકિસ્તાન, 18 માર્ચ : પાકિસ્તાને અફઘાનિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. પાકિસ્તાનના આ હવાઈ હુમલામાં 7 તાલિબાન માર્યા ગયા હોવાના અહેવાલ છે. અફઘાનિસ્તાનમાં ઘૂસ્યા બાદ પાકિસ્તાને બે આતંકવાદી ઠેકાણાઓ પર આ સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. આ માટે બે પ્રાંતોને નિશાન બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં ઘૂસીને તહરીક-એ-તાલિબાનના આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આ એર સ્ટ્રાઈક પાકિસ્તાનની સરહદે આવેલા ખોસ્ત અને પાકિતા પ્રાંતમાં બે અલગ-અલગ સ્થળોએ કરવામાં આવી છે.

મીડિયા આઉટલેટ ખોરાસનના રિપોર્ટ અનુસાર, પાકિટામાં સર્જિકલ સ્ટ્રાઈકમાં તાલિબાન કમાન્ડર અબ્દુલ્લા શાહના ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા છે. જો કે શાહ માર્યા ગયા છે કે નહીં તેની પુષ્ટિ થઈ નથી, પરંતુ પાકિસ્તાની સેનાના આ હવાઈ હુમલામાં શાહનું ઘર સંપૂર્ણપણે નાશ પામ્યું છે.

7 તાલિબાની આતંકવાદીઓ માર્યા ગયા

ખોરાસાન અનુસાર, આ માર્યા ગયેલા તાલિબાન આતંકવાદીઓ હાફિઝ ગુલબહાદર જૂથના છે જેઓ પાકિસ્તાનના વઝીરિસ્તાનમાં આર્મી કેમ્પ પર હુમલામાં સામેલ હતા. 16 માર્ચની વહેલી સવારે, આ તાલિબાની આતંકવાદીઓએ આર્મી બેઝ કેમ્પ પર હુમલો કર્યો અને વિસ્ફોટકોથી ભરેલા વાહન સાથે પોસ્ટને ટક્કર મારી હતી. આ ભયાનક વિસ્ફોટમાં 5 જવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

આતંકીઓએ આર્મી પોસ્ટને ઉડાવી દીધી હતી

પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ISPRએ જણાવ્યું હતું કે 16 માર્ચની વહેલી સવારે આતંકવાદીઓના એક જૂથે વઝીરિસ્તાનમાં એક પોસ્ટ પર હુમલો કર્યો હતો. સેનાએ હુમલાના પ્રથમ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો, ત્યારબાદ આતંકવાદીઓએ વિસ્ફોટકોથી ભરેલા વાહનને ચોકીમાં ઘુસાડી દીધા, જેના કારણે વિસ્ફોટમાં 5 જવાન શહીદ થયા. આ પછી સેનાએ જવાબી કાર્યવાહી કરીને આતંકીઓને ઠાર કર્યા હતા.

Back to top button