વર્લ્ડ

પાકિસ્તાનઃ ઈમરાન ખાન અને શાહબાઝ શરીફ સામ-સામે, પૂર્વ PMએ વાતચીતના દાવાને રદિયો આપ્યો

Text To Speech

પાકિસ્તાનમાં રાજકીય ભૂકંપ અટકવાનું નામ લેતું નથી. 29 ઓક્ટોબરે વડાપ્રધાન શહેબાઝ શરીફે દાવો કર્યો હતો કે ઈમરાન ખાને એક કોમન ફ્રેન્ડ દ્વારા વાતચીતની ઓફર કરી હતી. રવિવારે (30 ઓક્ટોબર) ઈમરાન ખાને વડાપ્રધાન શરીફના આ દાવાને ફગાવી દીધો હતો. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે તે એવી વ્યક્તિ સાથે વાત નથી કરતો જે સંસ્થાના જૂતા પોલીશ કરે છે અને કારના ટ્રંકમાં છુપાઈને મળવા જાય છે. ઈમરાન ખાને પીએમ શહેબાઝ શરીફના દાવાને ફગાવી દીધો હતો કે તેમણે એક સામાન્ય વેપારી મિત્ર દ્વારા વડાપ્રધાનનો સંપર્ક કર્યો હતો અને નવા આર્મી ચીફની નિમણૂક અને ચૂંટણીની તારીખ અંગે ચર્ચા કરવાની ઓફર કરી હતી.

સરકાર અને ઈમરાન વચ્ચે કોઈ સમાધાન નથી

તે જ સમયે, સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે સરકાર અને ઇમરાન ખાન વચ્ચે ચાલી રહેલી કોઈપણ વાતચીત અથવા સમાધાનની અફવાઓને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે કોઈ વાતચીત થઈ રહી નથી. આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું હતું કે ઈમરાન એક કોમન ફ્રેન્ડ દ્વારા બે મુદ્દા પર વાત કરવા ઈચ્છે છે. જેમાં નવા આર્મી ચીફની નિમણૂક અને વહેલી ચૂંટણીની તારીખોને લગતી બાબતોનો સમાવેશ થાય છે. વડા પ્રધાને આ મુદ્દાઓ પર ચર્ચા કરવાનો ઇનકાર કર્યો હતો.

શું કહ્યું શાહબાઝ શરીફે?

વડા પ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે, તેમણે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના અધ્યક્ષ ઈમરાન ખાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાના અનુગામીની નિમણૂક કરવાના પ્રસ્તાવને સંપૂર્ણ રીતે નકારી કાઢ્યો છે. જનરલ બાજવા, 61, જેઓ ત્રણ વર્ષના એક્સટેન્શન પર છે, તેઓ 29 નવેમ્બરે નિવૃત્ત થશે. તેમણે કહ્યું કે મેં ઈમરાન ખાન સાથે ચાર્ટર ઓફ ડેમોક્રેસી અને ચાર્ટર ઓફ ઈકોનોમી પર ચર્ચા કરવાની ઓફર કરી હતી.

ઈમરાન ખાન રેલી કાઢી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને શુક્રવાર (28 ઓક્ટોબર)થી લોંગ માર્ચ શરૂ કરી છે. પૂર્વ વડાપ્રધાન વહેલી ચૂંટણીની માંગણી માટે આ રેલી કાઢી રહ્યા છે. તેમની પાર્ટી પીટીઆઈએ તેનું નામ હકીકી આઝાદી માર્ચ રાખ્યું છે.

આ પણ વાંચો : ઈમરાન ખાને કર્યા ભારતના વખાણ, પાકિસ્તાન સરકારને ફેંક્યો પડકાર

Back to top button