ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઓવૈસીએ આસામના સીએમ પર કર્યો વળતો પ્રહાર, જાણો UCC પર શું કહ્યું?

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ UCCના મુદ્દાને લઈને કેન્દ્ર પર ફરીથી આકરા પ્રહારો કર્યા છે. આ સાથે તેમણે આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાના નિવેદન પર પણ વળતો પ્રહાર કર્યો હતો. ઓવૈસીએ શનિવારે (15 જુલાઈ) કહ્યું હતું કે ગરીબી, બેરોજગારી, મોંઘવારી અને ચીનની ઘૂસણખોરી જેવા મુદ્દાઓથી લોકોનું ધ્યાન હટાવવા માટે UCCની વાત કરવામાં આવી રહી છે.

CMએ શાકભાજીના ઊંચા ભાવ માટે બંગાળી ભાષી મુસ્લિમોને જવાબદાર ઠેરવ્યા: ઓવૈસી

હિમંતા બિસ્વા સરમા પર નિશાન સાધતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે આસામના મુખ્યમંત્રીએ શાકભાજીના ઊંચા ભાવ માટે બંગાળી ભાષી મુસ્લિમોને જવાબદાર ઠેરવ્યા છે, આ એક સાંપ્રદાયિક માનસિકતા છે. દેશમાં એક એવી મંડળી છે, જેમના ઘરમાં ભેંસ દૂધ ન આપે કે મરઘી ઈંડા ન આપે તો દોષનો ટોપલો મિયાંજી પર જ નાખી દેશે.

આસામના CM હિમંતા બિસ્વા સરમાએ મુસ્લિમો વિશે શું કહ્યું હતું?

તેમણે કહ્યું કે કદાચ તેમની અંગત નિષ્ફળતાનો દોષ પણ મિયાં ભાઈ પર ઢોળવામાં આવશે. તેઓએ (ભાજપ) જવાબ આપવો જોઈએ કે શું તેઓ સમગ્ર પૂર્વોત્તરમાં યુસીસી લાવશે, જ્યાં આદિવાસીઓની સંખ્યા ખુબ જ વધારે છે. હકીકતમાં, ન્યૂઝ એજન્સી IANS અનુસાર, હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં શાકભાજીના ભાવ ઓછા છે. જો કે, જેમ જેમ તમે શહેરોમાં જાઓ છો તેમ તેમ કિંમતો વધે છે. તમામ વિક્રેતાઓ દર(ભાવ) વધારી રહ્યા છે અને તેમાંના મોટાભાગના મિયાં લોકો છે.

ઓવૈસીના નિશાને વિપક્ષી પાર્ટીઓ

હૈદરાબાદના સાંસદે કહ્યું કે અમારી પાર્ટી યુસીસીનો વિરોધ કરશે. જો વિરોધ પક્ષો ભાજપને હરાવવા માંગતા હોય તો તમારે તફાવત બતાવવો પડશે કે તમે ભાજપ દ્વારા નિર્ધારિત એજન્ડાને અનુસરશો નહીં. વિરોધ પક્ષો મોટા ‘ચૌધરીઓ’ની એક ક્લબ છે. તમે અમારા તેલંગાણાના સીએમને મીટિંગમાં આમંત્રણ આપ્યું નથી. તેઓ કોઈ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ રાજકારણના મોટા ખેલાડી છે.

અસદુદ્દીન ઓવૈસીએ UCC મુદ્દે શું કહ્યું?

AIMIM ચીફે કહ્યું કે 14 જૂન, 2023ના રોજ કાયદા પંચે લોકોને અને વિવિધ પાર્ટીઓને UCC પર તેમના મંતવ્યો આપવા કહ્યું હતું, જેના સંદર્ભમાં અમે અમારી પાર્ટી વતી એક પત્ર મોકલ્યો છે. મેં તેમાં કહ્યું છે કે કાયદા પંચે UCCશું છે તે સમજાવવું જોઈએ.

તેમણે કહ્યું કે આ બહુ મોટા સંયોગની વાત છે કે 2018માં પણ મોદીજીએ UCC વિશે વાત કરવાનું શરૂ કરી દીધુ હતું, કારણ કે 2019માં ચૂંટણી હતી અને હવે 2024માં પણ ચૂંટણી છે, તેથી તેમણે ફરી UCCનો મુદ્દો ઉપાડ્યો છે. ભાજપ લો કમિશનનો ઉપયોગ કરી રહી છે તે ખૂબ જ અફસોસની વાત છે.

આ પણ વાચો: મુસ્લિમ મહિલાઓ UCC અંગે શું વિચારે છે? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

Back to top button