ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અસદુદ્દીન ઓવૈસીએ ચૂંટણી પરિણામો બાદ હવે આ ભવિષ્યવાણી કરી

Text To Speech

AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ તેલંગાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના ચૂંટણી પરિણામોને લઈને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે હિન્દીભાષી રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના પરિણામોએ કોંગ્રેસ માટે મોટો પડકાર ઉભો કર્યો છે.

હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ભાજપની મોટી જીત છે. આવી સ્થિતિમાં હવે 2024ની લોકસભામાં વિપક્ષી ગઠબંધન ‘I.N.D.I.A’ ગઠબંધન માટે પડકાર છે. ત્રણ રાજ્યોના પરિણામો 2024માં કોંગ્રેસ પાર્ટી માટે પણ ખતરો બની શકે છે.

MP ચૂંટણી પરિણામ 2023: મધ્યપ્રદેશમાં બે નાયબ મુખ્યમંત્રી, એક આદિવાસી અને એક OBC ચહેરો હોઈ શકે

ઓવૈસીએ વધુમાં કહ્યું કે અમે છત્તીસગઢમાં લડ્યા નથી અને અહીં પણ ભાજપે જીત નોંધાવી છે. AIMIMએ તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં સાત બેઠકો જીતી છે. જેમાં ઓવૈસીના નાના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી પણ ચંદ્રયાનગુટ્ટા સીટ પરથી જીત્યા છે.

કોને કેટલી બેઠકો મળી?

રાજસ્થાનમાં ભાજપને બહુમતી મળી છે. ચૂંટણી પંચે કહ્યું કે ભાજપે 115 બેઠકો જીતી છે જ્યારે કોંગ્રેસે 69 બેઠકો જીતી છે. ભારત આદિવાસી પાર્ટી (BSP)ને ત્રણ અને બહુજન સમાજ પાર્ટી (BSP)ને બે બેઠકો મળી છે.

તેલંગાણાના નવા CM રેવંત રેડ્ડી બનશે ! ડેપ્યુટી CM અંગે હજુ કોઈ નિર્ણય નહીં

જ્યારે છત્તીસગઢમાં ભાજપે 90માંથી 54 બેઠકો જીતીને પાંચ વર્ષ બાદ સત્તામાં વાપસી કરી છે. જ્યારે કોંગ્રેસને 35 બેઠકો મળી છે.

મધ્યપ્રદેશની વાત કરીએ તો અહીં ભાજપે 230માંથી 163 સીટો જીતી છે. કોંગ્રેસ ઘટીને 66 થઈ ગઈ છે. આ સિવાય કે KCRને તેલંગાણામાં ઝટકો લાગ્યો છે. અહીં 119 બેઠકોમાંથી કોંગ્રેસને 64 બેઠકો મળી છે. જ્યારે કેસીઆરની ભારત રાષ્ટ્ર સમિતિને 39 બેઠકો મળી છે. આ સિવાય ભાજપે 8 બેઠકો જીતી છે.

Back to top button