ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પૂર્વ સીએમ શિવરાજ સિંહ સહિત આ નેતાઓ સામે માનહાનિનો કેસ દાખલ કરવાનો આદેશ

  • મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ વી.ડી. શર્મા અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર સિંહ સામે માનહાનિનો કેસ દાખલ કરવા કોર્ટે આદેશ આપ્યા
  • અરજદાર વિવેક તન્ખાની અરજીના સંબંધમાં જબલપુરની વિશેષ અદાલતે આ આદેશ આપ્યો

જબલપુર, 21 જાન્યુઆરી: જબલપુરની વિશેષ અદાલતે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ સામે માનહાનિનો કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ઉપરાંત મધ્યપ્રદેશ ભાજપના અધ્યક્ષ વી.ડી. શર્મા અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર સિંહના નામ પણ સામેલ છે. કોંગ્રેસના રાજ્યસભા સભ્ય વિવેક તન્ખાની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે આ આદેશ આપ્યો છે. વિવેક તન્ખાએ ગયા વર્ષે 29 એપ્રિલે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. તેમણે આ નેતાઓ પર ખોટા નિવેદનો આપવાનો આરોપ લગાવ્યો છે.

વિવેક તન્ખાની અરજી પર સુનાવણી

શનિવારે જબલપુરની વિશેષ અદાલતે ભારતીય જનતા પાર્ટીના મધ્ય પ્રદેશ એકમના વડા વી.ડી. શર્મા, પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર સિંહ વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ વિવેક તન્ખાની અરજી પર સુનાવણી કરતી વખતે આ આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે અરજદારના વકીલ એચ.એસ. છાબરાએ જણાવ્યું હતું કે એમપી-ધારાસભ્ય કેસો સંબંધિત ન્યાયિક મેજિસ્ટ્રેટ વિશ્વેશ્વરી મિશ્રાની વિશેષ અદાલતે તેના આદેશમાં પ્રથમ દૃષ્ટિએ કેસ માટે પૂરતા પુરાવા મળ્યા પછી માનહાનિનો કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો હતો.

છબી ખરાબ કરવાનો પ્રયાસ

તેણે જણાવ્યું કે ગત વર્ષે 29 એપ્રિલે વિવેક તન્ખાએ માનહાનિના કેસમાં કોર્ટમાં પોતાનું પ્રારંભિક નિવેદન નોંધાવ્યું હતું. તન્ખા સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ પણ છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપના નેતાઓએ 2021ની પંચાયત ચૂંટણીમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) આરક્ષણ સંબંધિત સર્વોચ્ચ અદાલતના કેસમાં તેઓ સામેલ હોવાનો ખોટો દાવો કરીને તેમની છબી ખરાબ કરી છે. તન્ખાએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે ન તો ઓબીસી આરક્ષણ સંબંધિત કોઈપણ અદાલતી કાર્યવાહીમાં ભાગ લીધો છે અને ન તો આ મુદ્દે કોઈ અરજી દાખલ કરી છે. તન્ખાએ વી.ડી. શર્મા, શિવરાજ ચૌહાણ અને ભૂપેન્દ્ર સિંહ વિરુદ્ધ 10 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: બીજેપી નેતાની હત્યા કેસમાં PFI અને SDPI સાથે સંકળાયેલા 15 લોકો દોષિત જાહેર

Back to top button