અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

ઓપરેશન કાવેરી : સુદાનથી પરત ફરેલા ગુજરાતીઓનું હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે સ્વાગત કરાયું

  • સુદાનથી 56 ગુજરાતીઓ વહેલી પરોઢિયે અમદાવાદ આવી પહોંચ્યા
  • ઓપરેશન ‘કાવેરી’ અંતર્ગત ખાસ ઇવેક્યુએશન ફલાઇટ્સ- C17થી ભારત લાવવામાં આવ્યા
  • હેમખેમ પરત ફરેલા ગુજરાતીઓનું અમદાવાદ ખાતે કરાયું સ્વાગત

સુદાનમાં ફાટી નીકળેલા આંતરિક યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી ‘ઓપરેશન કાવેરી’ અંતર્ગત હેમખેમ પરત ફરેલા ગુજરાતીઓનું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. સુદાનથી 56 ગુજરાતીઓ આજે વહેલી પરોઢિયે અમદાવાદ પહોંચ્યા હતા. આ વેળાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે અમદાવાદ કલેક્ટર પ્રવિણા ડીકે તેમજ ઓપરેશન ‘ કાવેરી’ સાથે સંકળાયેલા વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઓપરેશન કાવેરી-humdekhengenews

સુદાનમાં ફસાયેલા લોકોને પરત લાવવા ઓપરેશન ‘કાવેરી’શરુ

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે ત્યાં વસેલા વિશ્વભરના નાગરિકો ફસાયા છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત પ્રથમ દેશ છે જેણે રેસ્ક્યુની યોજના તેમજ મંત્રી અને અધિકારીઓની એક ટીમ બનાવીને એરફોર્સ, લશ્કરી દળ સાથે મળીને સુદાનમાં ફસાયેલ નાગરીકોને સ્વદેશ પરત લાવવા માટે ઓપરેશન ‘કાવેરી’ શરૂ કર્યુ છે.

ઓપરેશન કાવેરી-humdekhengenews

ગુજરાતના 56લોકોને હેમખેમ વતન પહોંચાડ્યાં

ઓપરેશન ‘કાવેરી’ અંતર્ગત ગુજરાતના 56લોકોને જેદ્દાહથી મુબંઇ ખાતે ખાસ ઇવેક્યુએશન ફલાઇટ્સ- C17થી ભારત લાવવામાં આવ્યા હતા. આ ગુજરાતીઓને રાજ્યના અધિકારીઓ દ્વારા મુબંઇ ખાતે રિસિવ કરવામાં આવ્યા હતા. આ 56 ગુજરાતીઓ પૈકી 12 લોકોએ પોતાની આગવી સુવિધા કરેલી હોવાથી બાકીના 44 ગુજરાતીઓને મુંબઇથી અમદાવાદ ખાતે વોલ્વો બસ દ્વારા લાવવામાં આવ્યાં હતાં એમ ગૃહ રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું. હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, ગુજરાતમાં આવ્યા બાદ આ સૌ પ્રવાસીઓને પોતાના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી પણ રાજ્ય સરકારે ઉઠાવી છે. સુદાનમાંથી ગુજરાતીઓ ભારતમાં પહોંચ્યા બાદ ત્યાંથી તેમના માદરે વતન સુધી પહોંચવામાં કોઈપણ પ્રકારની આગવડ ઊભી ન થાય તેની પણ પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.

ઓપરેશન કાવેરી-humdekhengenews

વિદેશ મંત્રાલય પાસેથી માહીતી લીધી

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, મુંબઈ થી અમદાવાદ લાવ્યા બાદ રાજકોટ જીલ્લાના 39, ગાંધીનગર જીલ્લાના 9, આણંદ જીલ્લાના 3 તથા વડોદરા જીલ્લાના 5 ગુજરાતીઓને પોતાના વતનમાં પરત રવાના કરવાની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ઓપરેશન ‘કાવેરી’ અંતર્ગત ગુજરાત સરકાર સતત વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં રહીને તમામ ગુજરાતીઓની માહિતી તેમને પહોંચાડી રહી છે. રાજ્ય સરકારે પણ ગુજરાતીઓની યાદી બનાવીને વિદેશ મંત્રાલયને મોકલી આપી છે. જો હજુ કોઈપણ ગુજરાતીઓ આવવાના બાકી હશે તેમને પણ સહી સલામત ગુજરાતમાં લાવવાની કામગીરી કરવામાં આવશે અને ફ્લાઇટ કે અન્ય ટ્રાન્સપોર્ટેશન દ્વારા તેમના ઘર સુધી તેઓને પહોંચાડવામાં આવશે.

ઓપરેશન કાવેરી-humdekhengenews

હર્ષ સંઘવીએ તમામ વિભાગોને આપ્યા અભિનંદન

હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વમાં સુદાનમાં ગુજરાતના ફસાયેલા લોકોને પરત વતનમાં લાવવા ગુજરાત સરકારના એન.આર.આઇ.પ્રભાગ, સામાન્ય વહીવટ વિભાગ, એન.આર.જી વિભાગ, અમદાવાદ કલેક્ટર કચેરી તેમજ પોલીસ વિભાગે સહરાનીય કામગીરી કરી છે. આ અવસરે ગૃહ રાજ્યમંત્રીએ આ તમામ વિભાગોને અભિનંદન પણ પાઠવ્યા હતા.

ઓપરેશન કાવેરી-humdekhengenews

ગુજરાતીઓને દીલ્હી અને મંબઈથી ગુજરાત લવાયા

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના તમામ પેસેન્જરોને દિલ્હી અને મુબંઇ ખાતેથી ગુજરાત લાવવા અંગેની કામગીરી બિન-નિવાસી ગુજરાતીઓ માટે કાર્યરત એન.આર.આઇ.પ્રભાગ, સામાન્ય વહીવટ વિભાગ અને ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન દ્વારા ગુજરાતના નિવાસી આયુકત, દિલ્હીના સંકલનમાં કરવામાં આવી હતી.

આ  પણ વાંચો : જામનગર : ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી માટે બનાવેલું સ્ટેજ ધરાશાયી, પાંચ લોકો ઇજાગ્રસ્ત

Back to top button