ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ઇઝરાયેલમાંથી ભારતીય નાગરિકોને બચાવવા ઑપરેશન અજય શરૂ થશે

Text To Speech

Israel Hamas War: પેલેસ્ટિની આતંકવાદી સંગઠન હમાસ દ્વારા ઇઝરાયેલ પર હુમલા બાદ પાંચમા દિવસે પણ યુદ્ધ ચાલુ છે. આ  દરમિયાન ભારતે ઇઝરાયેલમાં રહેતા ભારતીયોને દેશમાં પરત લાવવા માટે ઓપરેશન અજય શરૂ કરવાની જાહેરાત કરી હતી. ઇઝરાયેલમાં લગભગ 18,000 ભારતીય મૂળના નાગરિકો છે. તેમાંથી જે લોકો પરત આવવા માગતા હશે તેમના માટે ભારત સરકારે વિશેષ વિમાન સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ બચાવ કામગીરીને ઑપરેશન અજય નામ આપવામાં આવ્યું છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા X પર લખ્યું, “અમે ઈઝરાયેલથી ભારત આવવા ઈચ્છતા લોકો માટે ઓપરેશન અજય શરૂ કરી રહ્યા છીએ. વિશેષ ચાર્ટર ફ્લાઈટ્સ અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમે વિદેશમાં રહેતા અમારા નાગરિકોની સલામતી અને સુખાકારી માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.

એસ જયશંકરની પોસ્ટ પર, ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે જે ભારતીય નાગરિકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેઓને આવતીકાલ (ગુરુવાર, 12 ઓક્ટોબર) માટે વિશેષ ફ્લાઇટ માટે મેઇલ કરવામાં આવ્યા છે. અનુગામી ફ્લાઇટ્સ માટે અન્ય નોંધાયેલા લોકોને સંદેશ મોકલવામાં આવશે.

ઈમરજન્સી નંબર જારી:

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય લોકોની મદદ માટે ઈમરજન્સી નંબર જારી કરવામાં આવ્યો છે. ઇમરજન્સી નંબરો: 1800118797, +91-11 23012113, +91-11-23014104, +91-11-23017905 અને +919968291988. આ સિવાય ઈમેલ પણ જારી કરવામાં આવ્યો : [email protected]

તેલ અવીવ, ઇઝરાયેલમાં સ્થિત ભારતીય દૂતાવાસના ઇમરજન્સી નંબરો: +972-35226748 અને +972- 543278392.

શનિવારે (7 ઓક્ટોબર) સવારે હમાસે ઈઝરાયેલ પર રોકેટ હુમલો કર્યો. આ સમયગાળા દરમિયાન હમાસે પણ ઘૂસણખોરી કરીને સામાન્ય લોકોને નિશાન બનાવ્યા હતા. આ પછી ઇઝરાયલે હમાસ સામે જવાબી કાર્યવાહી શરૂ કરી. ઈઝરાયેલ તરફથી ગાઝા પર સતત હુમલા થઈ રહ્યા છે. સાથે જ હમાસ પણ ઈઝરાયલ તરફ રોકેટ છોડી રહ્યું છે.

આ પણ વાંચો: હમાસ નેટવર્કને નષ્ટ કરવાનો ઈઝરાયેલનો પ્લાન, કમાન્ડરોની હિટ લિસ્ટ તૈયાર

Back to top button