ગુજરાતટોપ ન્યૂઝ

વિશ્વ યોગ દિવસે જાણો યોગના આઠ અંગો વિશે સરળ ભાષામાં, જીવનમાં આવશે પરિવર્તન

Text To Speech
  • જ્ઞાનયોગ, ભક્તિયોગ, ધર્મયોગ, અને કર્મયોગ
  • રાજયોગ છે, તે જ પાતંજલિનો યોગ
  • મોટા ભાગના લોકો પાંચ યોગમાં નિપુણ હોય છે

યોગ એક વૃહત્તર વિષય છે. તમે સાંભળ્યુ તો હશે – જ્ઞાનયોગ, ભક્તિયોગ, ધર્મયોગ, અને કર્મયોગ. આ બધામાં યોગશબ્દ જોડાયેલો છે. પછી હઠયોગ વિશે પણ સાંભળ્યુ હશે, પણ આ બધાને છોડીને જે રાજયોગ છે, તે જ પાતંજલિનો યોગ છે.

આ પણ વાંચો:  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ગુજરાતે મુખ્યમંત્રીની હાજરીમાં સર્જ્યો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ

આ યોગનુ સૌથી વધુ પ્રચલન અને મહત્વ છે

આ યોગનુ સૌથી વધુ પ્રચલન અને મહત્વ છે. આ યોગને આપણે આષ્ટાંગ યોગના નામે ઓળખીએ છીએ. આષ્ટાંગ યોગ એટલે કે યોગના આઠ અંગ. પાતંજલિએ યોગની બધી વિદ્યાઓને આઠ યોગમાં વહેંચી દીધી છે. હવે આની બહાર કશુ જ નથી.

રાજયોગ છે, તે જ પાતંજલિનો યોગ

શરૂઆતના પાંચ અંગોમાંથી યોગ વિદ્યામાં પ્રવેશ કરવાની તૈયારી થાય છે, અર્થાત સમુદ્રમાં છલાંગ મારીને ભવસાગર પાર કરવાની પૂર્વ તૈયારીનો અભ્યાસ આ પાંચ અંગોમાં સમેટાવાયો છે. આને કર્યા વગર ભવસાગર પાર નથી કરી શકાતુ, અને જે આને કરીને છલાંગ નહી મારે તે અહીં જ રહી જશે. મોટા ભાગના લોકો આ પાંચમાં નિપુણ થઈને યોગના ચમત્કાર બતાવવામાં જ પોતાના જીવનનો વિનાશ કરી બેસે છે.

આ આઠ અંગો છે:

– યમ
– નિયમ
– આસન
– પ્રાણાયમ
– પ્રત્યાહાર
– ધારણા
– ધ્યાન
– સમાધિ

ઉપરોક્ત આઠ અંગોના પોતાના ઉપ અંગ પણ છે. તાજેતરમાં યોગના ત્રણ જ અંગ ચલનમાં છે – આસન, પ્રાણાયામ, અને ધ્યાન.

Back to top button