ટ્રેન્ડિંગધર્મ

સોમવતી અમાસ પર ભોલેનાથ આ ચાર રાશિ પર રહેશે મહેરબાન, બનશે દુર્લભ યોગ

Text To Speech
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષની છેલ્લી સોમવતી અમાસ પર ધ્રુવ યોગ, ધૃતિ યોગ, સ્વાતિ નક્ષત્ર અને શિવવાસ જેવા દુર્લભ સંયોગો બની રહ્યા છે

HD ન્યુઝ ડેસ્કઃ વર્ષ 2024ની છેલ્લી અમાસ 30 ડિસેમ્બર સોમવારના રોજ હશે. તે સોમવતી અમાસ તરીકે ઓળખાશે. હિંદુ ધાર્મિક ગ્રંથોમાં, સોમવતી અમાસને દર્શ અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અમાસ ભગવાન ભોલેનાથને સમર્પિત છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષની છેલ્લી સોમવતી અમાસ પર ધ્રુવ યોગ, ધૃતિ યોગ, સ્વાતિ નક્ષત્ર અને શિવવાસ જેવા દુર્લભ સંયોગો બની રહ્યા છે, જેનાથી 4 રાશિઓને લાભ થશે.

વૃષભ (બ,વ,ઉ)

વૃષભ રાશિના જાતકોને વર્ષની છેલ્લી સોમવતી અમાસ પર બનતા દુર્લભ યોગોના શુભ પ્રભાવથી લાભ થશે. આ લોકોને બિઝનેસમાં પૈસા કમાવવાની ઘણી તકો મળશે. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને તમારા વિવાહિત જીવનમાં પ્રેમ વધશે.

સોમવતી અમાસ પર ભોલેનાથ આ ચાર રાશિ પર રહેશે મહેરબાન, બનશે દુર્લભ યોગ hum dekhenge news

કન્યા (પ,ઠ,ણ)

સોમવતી અમાસના દિવસે બનતા દુર્લભ સંયોગોના શુભ પ્રભાવને કારણે કન્યા રાશિના લોકોના જીવનમાં મોટા ફેરફારો થવાની પ્રબળ સંભાવના છે. નોકરિયાત લોકોને ભાગ્યનો પૂરો સાથ મળશે. તેમજ ધંધામાં ધાર્યા કરતા સારો ફાયદો થશે. તમને માનસિક તણાવથી રાહત મળશે.

તુલા (ર,ત)

તુલા રાશિના જાતકોને સોમવતી અમાસના દિવસે એક કરતા વધુ દુર્લભ સંયોગોની શુભ અસરથી સકારાત્મક પરિણામ જોવા મળશે. ધંધામાં આવક વધવાથી આર્થિક બળ મળશે. તમારે વ્યવસાય માટે ટૂંકા અંતરની મુસાફરી કરવી પડી શકે છે. વિવાહિત લોકોને સારા સમાચાર મળશે.

કુંભ (ગ,સ,શ,ષ)

સોમવતી અમાસના દિવસે કુંભ રાશિના જાતકો માટે સારો સમય શરૂ થવાનો છે. આ લોકોને તેમની કારકિર્દીમાં પ્રગતિ કરવાની એક કરતા વધુ તકો મળશે. તેમજ ધંધામાં આવક વધવાથી તણાવ દૂર થશે. વિવાહિત જીવનમાં મધુરતા વધશે. પ્રોપર્ટી સંબંધિત કોઈ જૂનો વિવાદ ઉકેલાઈ શકે છે.

આ પણ વાંચોઃ સોમવતી અમાસ 30 ડિસેમ્બરે, વૃદ્ધિ યોગ અને મૂળ નક્ષત્રનો સંયોગ, શું કરવું, શું નહિ?

Back to top button