મનોરંજન

કરણ જોહરના શોમાં કેટરીના કૈફે હનીમૂનને લઈને કર્યો મોટો ખુલાસો, કહ્યું- જરૂરી નથી કે રાત જ હોય…

Text To Speech

કરણ જોહરની કોફી વિથ કરણ હાલમાં ચર્ચામાં છે. આ સીઝનમાં ઘણા જાણીતા સ્ટાર્સ આ શોમાં પોતાની લાઈફ અને લવ લાઈફ વિશે ખુલાસો કરતા જોવા મળ્યા છે. ત્યારે હવે કોફી વિથ કરણના દસમા એપિસોડમાં સુપરસ્ટાર કેટરિના કૈફ તેના કો-સ્ટાર ઇશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે પહોંચી, જ્યાં તેઓ ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા. સીઝનની આ પ્રથમ ત્રિપુટીએ બ્રોમાન્સ, લવ ઈન્ટરેસ્ટ અને હનીમૂન વિશે ખુલ્લેઆમ ચર્ચા કરી હતી. કોફી વિથ કરણનો એક પ્રોમો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં કેટરીના હનીમૂન પર વાત કરતી જોવા મળી હતી.

બોલિવૂડ લગ્નોથી ભરેલું હોય અને કોફી વિથ કરણમાં હનીમૂનની ચર્ચા ન થાય એવું તો બને જ નહીં. હાલમાં જ્યારે આલિયા ભટ્ટે હનીમૂનની કલ્પનાને પૌરાણિક કથા તરીકે નકારી કાઢી હતી, ત્યારે કેટરીના કૈફે કંટાળી ગયેલા યુગલો માટે લગ્ન પછી અનુસરવા માટે વધુ સારો ઉપાય શેર કર્યો હતો. કેટરીનાએ કહ્યું, હંમેશા સુહાગ રાત હોવી જરૂરી નથી. તે સુહાગ દિવસ પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં હનીમૂનના હાઇપના કારણે સંઘર્ષ કરી રહેલા કપલ્સ માટે કેટરીના કૈફની દલીલ તર્કથી ભરેલી છે એમ કહેવું ખોટું નહીં હોય.

આ પણ વાંચો : કપિલ શર્મા શોમાં એક નવા કોમેડિયનની થઈ રહી છે એન્ટ્રી, 10 સપ્ટેમ્બરથી શોમાં મચાવશે ધૂમ

કેટરીના કૈફનો આ વીડિયો આ સમયે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે હનીમૂનના કોન્સેપ્ટને ઓવરરેટેડ કહી રહી છે. વીડિયોમાં કેટરીના કહેતી જોઈ શકાય છે, “સુહાગરાત હી ક્યૂં. યે સુહાગ દિન ભી તો સકતા હૈ”. કેટરીનાએ કહ્યું કે લગ્ન પછી કપલ એટલું થાકી જાય છે કે હનીમૂન જેવો કોન્સેપ્ટ એક મિથ જેવો લાગે છે. નોંધનીય છે કે ભૂતકાળમાં જ્યારે આલિયા ભટ્ટ કોફી વિથ કરણ પર આવી હતી ત્યારે તેણે પણ હનીમૂનને મિથ કહી હતી.

Back to top button