ટ્રેન્ડિંગદિવાળી 2024ધર્મ

ધનતેરસ પર લક્ષ્મી નારાયણ યોગથી ચમકશે પાંચ રાશિઓનું ભાગ્ય, દૂર થશે આર્થિક તંગી

Text To Speech
  • આ વખતે ધનતેરસ પર લક્ષ્મી નારાયણ યોગથી 5 રાશિઓને સારો એવો લાભ થશે. ધનતેરસ પર દેવી લક્ષ્મી, કુબેર દેવ અને ભગવાન ધનવંતરીની પૂજા કરવાની પરંપરા છે

HD ન્યુઝ ડેસ્કઃ 29 ઓક્ટોબર 2024, મંગળવારના રોજ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે ધનની દેવી દેવી લક્ષ્મી, ભગવાન ધનવંતરી અને ધનના રક્ષક કુબેરદેવની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે સોનું, ચાંદી, ઝવેરાત અને અન્ય વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. આ વખતે ધનતેરસ પર લક્ષ્મી નારાયણ યોગથી 5 રાશિઓને સારો એવો ફાયદો થશે.

વૃષભ (બ,વ,ઉ)

વૃષભ રાશિના લોકો માટે આ ધનતેરસ ખૂબ જ શુભ રહેશે. ધનતેરસ પર બની રહેલ લક્ષ્મી નારાયણ યોગ આ લોકોને કાર્યસ્થળમાં સફળતા અપાવશે. વૈવાહિક જીવનમાં તેમના જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. વેપારીઓને સારા સમાચાર મળશે. માનસિક તણાવથી રાહત અનુભવશો.

ધનતેરસ પર લક્ષ્મી નારાયણ યોગથી ચમકશે પાંચ રાશિઓનું ભાગ્ય, દૂર થશે આર્થિક તંગી
 hum dekhenge news

મિથુન (ક,છ,ઘ)

ધનતેરસ પર બની રહેલો લક્ષ્મી નારાયણ યોગ મિથુન રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. આ લોકોને ઘણા સારા સમાચાર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ મળવાથી મન પ્રસન્ન રહેશે. સમાજમાં તમને માન-સન્માન મળશે. વેપારમાં સારો લાભ મળવાની શક્યતા રહેશે.

કર્ક (ડ,હ)

વેપારી લોકો માટે લક્ષ્મી નારાયણ યોગ ખૂબ જ શુભ રહેવાનો છે. કર્ક રાશિના જે લોકોની લવ લાઈફ ટેન્શનમાં છે, તે ટેન્શન દૂર થઈ શકે છે. પૈસાના રોકાણ માટે સમય સાનુકૂળ રહેશે. અચાનક કોઈ સારા સમાચાર મળવાથી તમે ખુશ થશો. નોકરીમાં પ્રમોશન અને વૃદ્ધિની તકો મળશે.

વૃશ્ચિક (ન,ય)

ધનતેરસના દિવસથી વૃશ્ચિક રાશિના લોકોનું જીવન સુધરશે. આ લોકોની આર્થિક સ્થિતિમાં અણધાર્યા આર્થિક લાભની શક્યતાઓ રહેશે. આવક વધવાથી મન પ્રસન્ન રહેશે અને તણાવથી રાહત મળશે. સુખ-સુવિધાઓમાં વધારો થશે. વ્યવસાયમાં નવી ડિલ્સ ફાઈનલ થશે, જે ભવિષ્યમાં વધુ સારો નફો આપશે.

મીન (દ,ચ,થ,ઝ)

ધનતેરસ પર લક્ષ્મી નારાયણ યોગ બનવાથી મીન રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવશે. આ લોકોના આત્મવિશ્વાસમાં વધારો થશે. સમાજમાં તમને માન-સન્માન પણ મળશે. કાર્યસ્થળમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે. તમે તમારી ઈચ્છા મુજબ નોકરી મેળવી શકો છો. વિદ્યાર્થીઓને સારું પરિણામ મળશે.

આ પણ વાંચોઃ દિવાળીમાં ગુરૂ-શનિની વક્રી ચાલથી 3 રાશિઓનો રાજયોગ, કોને થશે ફાયદો?

Back to top button