ગુજરાત

28મી ડિસેમ્બરે રાજ્ય સરકાર નાગરિકોની ફરિયાદો સાંભળશે

Text To Speech
  • અરજદારો, રજૂઆતકર્તાઓ ગુરુવારે સવારે 8:30થી પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં આપી શકશે

ગાંધીનગર, 26 ડિસેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ૨૦૦૩થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. આ ઉપક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ડિસેમ્બર-૨૦૨૩નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૮મી ડિસેમ્બરે યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે ૨૮મી ડિસેમ્બરે બપોરે ૩:૩૦ વાગ્યે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે.

નાગરિકો સવારે 8:30 થી રજૂઆતો આપી શકશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના નાગરિકો- પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આવતા ગુરૂવારે એટલે કે 28મી ડિસેમ્બરે બપોરે ૩:૩૦ કલાકે યોજાશે. આ કાર્યક્રમાં નાગરિકો પોતાની રજૂઆતો તેમજ ફરિયાદોના નિવારણ માટે મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં સામાન્ય નાગરિકો, અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવાર, તા. ૨૮મી ડિસેમ્બરના રોજ સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કે ઓનલાઈન કરી શકશે.

શું છે રાજ્ય સ્વાગત કાર્યક્રમ?

રાજ્યના નાગરિકોની ફરિયાદના ઝડપી નિકાલ કરવાના ઉમદા હેતુથી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં દર માસના ચોથા ગુરુવારે “રાજ્ય સ્વાગત કાર્યક્રમ” યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અરજદારના પ્રશ્નો/રજુઆત રુબરુ સાંભળે છે. રાજ્યકક્ષાના આ સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન/ રજુઆત અન્વયે સબંધિત વહીવટી વિભાગના વડા અને તે વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા હાજર રહે છે. જ્યારે સબંધિત જિલ્લા કક્ષાએ સ્થાનિક વહીવટીતંત્રના વડાને ઉપસ્થિત રહેવાનું હોય છે. મુખ્યમંત્રી તે તમામની સાથે રુબરુ/વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અરજદારના પ્રશ્ન સંબધે સીધી ચર્ચા કરે છે.

આ પણ વાંચો: ગુજરાત: ગાંધીનગર શહેરમાં પણ કોરોના ફેલાયો, કેસ વધતા લોકોમાં ફફડાટ

Back to top button