

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 34 નવા કેસ નોંધાયા છે જ્યારે 26 દર્દીને રજા આપવામાં આવી. અમદાવાદ શહેરમાં 25, વડોદરા શહેરમાં 5, ગાંધીનગર ગ્રામ્યમાં 1, રાજકોટ ગ્રામ્યમાં 1, સુરત શહેરમાં 1 અને વલસાડમાં 1 કેસ કોરોનાનો સામે આવ્યો છે.
રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 216 પર પહોચ્યો છે. આ પૈકી એકપણ દર્દી વેન્ટિલેટ પર નથી. રાજ્યમાં સ્ટેબલ દર્દીની સંખ્યા 216 છે. જ્યારે અત્યાર સુધીમાં 12,13,997 દર્દી સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,944 દર્દીના મોત થયા છે.