ટ્રેન્ડિંગનેશનલ

હવે CBIએ તમિલનાડુમાં તપાસ માટે લેવી પડશે મંજૂરી, સ્ટાલિન સરકારનો નિર્ણય

Text To Speech

તમિલનાડુના વીજળી અને આબકારી મંત્રી વી. સેંથિલ બાલાજીની ધરપકડ બાદ રાજ્ય સરકારે કેન્દ્રીય એજન્સીઓને લગતો મોટો નિર્ણય લીધો છે. તમિલનાડુમાં હવે CBIને કેસોની તપાસ માટે પરવાનગી ફરજિયાત કરવામાં આવી છે. તમિલનાડુના ગૃહ વિભાગે કહ્યું કે તમિલનાડુએ રાજ્યમાં કેસોની તપાસ કરવા માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન પાસેથી સામાન્ય સંમતિ પાછી ખેંચી લીધી છે.

CM MK Stalin
CM MK Stalin

કેન્દ્રીય એજન્સીએ તમિલનાડુમાં તપાસ કરવા માટે રાજ્ય સરકારની પરવાનગી લેવાની રહેશે નહીં. જો કે, રાજ્ય સરકારના આ પગલાથી ED કે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની તપાસને કોઈ અસર થશે નહીં. આ પહેલા પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, તેલંગાણા, પંજાબ અને રાજસ્થાન સહિત નવ રાજ્યો આ પગલું ઉઠાવી ચૂક્યા છે. તમિલનાડુના મંત્રી વી. સેંથિલ બાલાજીની બુધવારે ED દ્વારા તમિલનાડુ ટ્રાન્સપોર્ટ વિભાગમાં નોકરી બદલ રોકડ કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી.

EDએ સ્ટાલિન સરકારના મંત્રીની ધરપકડ કરી

બાલાજી તમિલનાડુમાં મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની આગેવાની હેઠળની સરકારમાં પ્રથમ મંત્રી છે જેમણે કેન્દ્રીય એજન્સી તરફથી આવી કાર્યવાહીનો સામનો કરવો પડ્યો. મુખ્યમંત્રી સ્ટાલિને આ મામલે કહ્યું કે જ્યારે બાલાજીએ તપાસમાં સંપૂર્ણ સહયોગનું આશ્વાસન આપ્યું છે તો પછી લાંબી પૂછપરછની શું જરૂર છે. તેમણે કહ્યું કે શું EDની આવી અમાનવીય કાર્યવાહી વાજબી છે. 2014-15માં ગુના સમયે બાલાજી AIADMKમાં હતા અને તે સમયે પરિવહન મંત્રી હતા.

વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા

સેંથિલ બાલાજીની ધરપકડ બાદ કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ કેન્દ્ર પર નિશાન સાધ્યું અને કહ્યું કે જેઓ સત્તાધારી પક્ષ વિરુદ્ધ બોલે છે તેઓ રાજકીય સતામણી અને બદલો લેવાનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે વિરોધ પક્ષો આવા પગલા સામે ઝૂકવાના નથી. મોદી સરકાર દ્વારા વિરોધ કરનારાઓ સામે આ રાજકીય દમન અને બદલો લેવાનું કૃત્ય છે.

Back to top button