ટ્રેન્ડિંગનેશનલમનોરંજનવીડિયો સ્ટોરી

OTT નહીં, થિયેટરોમાં Mirzapurનો ભૌકાલ! ખુરશી માટે કાલિન-ગુડ્ડુ સાથે લડશે મુન્ના ભૈયા

  • ત્રણ સિઝનની સફળતા બાદ મિર્ઝાપુરના મેકર્સે દિવાળી પહેલા ચાહકોને આપી દીધી સરપ્રાઈઝ

મુંબઈ, 28 ઓગસ્ટ: OTT પ્લેટફોર્મની સૌથી લોકપ્રિય વેબ સિરીઝ મિર્ઝાપુરની ચોથી સિઝનની રાહ જોવાઈ રહી છે. આ વર્ષે, ત્રીજી સિઝન જોરદાર હિટ રહી હતી, પરંતુ તે જ સમયે ચાહકો મુન્ના ભૈયાની ગેરહાજરીથી ખૂબ દુઃખી હતા. જો કે દિવાળી પહેલા મેકર્સે ફેન્સને મોટું સરપ્રાઈઝ આપી દીધું છે. આ ક્રાઈમ થ્રિલર વેબ સિરીઝ મિર્ઝાપુર ફરી પાછી આવી રહી છે અને આ વખતે તે OTT પ્લેટફોર્મ પર નહીં પરંતુ થિયેટરોમાં ભૌકાલ મચાવશે. હા, એક્સેલ એન્ટરટેઈનમેન્ટ અને એમેઝોન MGM સ્ટુડિયોએ ધમાકેદાર વીડિયો સાથે Mirzapur The Filmની જાહેરાત કરી દીધી છે જે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

મિર્ઝાપુર ફિલ્મની પહેલી ઝલક, જૂઓ વીડિયો

 

 

View this post on Instagram

 

A post shared by Excel Entertainment (@excelmovies)

રસપ્રદ વાત એ છે કે,  મુન્ના ભૈયાએ પણ મિર્ઝાપુર ફિલ્મમાં એન્ટ્રી કરી છે. ફિલ્મમાં મુન્ના ભૈયા સાથે કમ્પાઉન્ડર (અભિષેક બચ્ચન) પણ જોવા મળશે. મિર્ઝાપુર ફિલ્મની પ્રથમ ઝલકે ચાહકોમાં ઉત્તેજના વધારી દીધી છે. ટીઝરની સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, “હવે ભૌકાલ પણ મોટો હશે અને પડદો પણ મોટો હશે.

ફરી ખુરશી માટે હોબાળો 

ટીઝરને જોઈને લાગે છે કે, આ વખતે સિંહાસન માટે કાલિન ભૈયા (પંકજ ત્રિપાઠી), ગુડ્ડુ પંડિત (અલી ફઝલ) અને મુન્ના ભૈયા (દિવ્યેન્દુ શર્મા) વચ્ચે જોરદાર યુદ્ધ થશે. ટીઝરમાં કાલીન ભૈયાએ કહ્યું, “તમે સિંહાસનનું મહત્ત્વ જાણો છો. સન્માન, શક્તિ અને નિયંત્રણ. તમે પણ મિર્ઝાપુરને તમારા સિંહાસન પર બેસીને જોયું હશે. આ વખતે જો તમે સિંહાસન પરથી ઉભા નહીં થાઓ તો જોખમ રહેશે.”

કાલીન ભૈયા પછી ગુડ્ડુ પંડિત પ્રવેશ્યા જેમણે કહ્યું કે, “કાલીન ભૈયાએ એકદમ સાચું કીધું. જોખમ લેવું એ મારી USP છે. અમે જે છીએ, આખી રમત બદલી દઇશું. એમાં શું છે કે, હવે મિર્ઝાપુર તમારી પાસે નહીં આવે, પરંતુ તમારે મિર્ઝાપુર પાસે જવું પડશે.”

મુન્ના ભૈયા પરત ફર્યા

મિર્ઝાપુર સિરીઝની ત્રીજી સિઝનમાં મુન્ના ભૈયા નહોતા જેના કારણે તેમને ઘણા મિસ કરવામાં આવ્યા. જો કે તેઓ ફિલ્મમાં પરત ફર્યા છે. મુન્ના ભૈયાએ કહે છે કે, “હું હિન્દી ફિલ્મનો હીરો છું અને હિન્દી ફિલ્મ તો ફક્ત થિયેટરોમાં જ જોવામાં આવે છે. કહ્યું હતું ને, હું અમર છું. હવે મિર્ઝાપુરની ખુરશી પર અહિયાં બેસીને જ રાજ થશે.”

મિર્ઝાપુર ફિલ્મ ક્યારે રિલીઝ થશે?

મિર્ઝાપુર ફિલ્મની કાસ્ટમાં હાલમાં માત્ર ત્રણ સ્ટાર જ જોવા મળે છે, બાકીની કાસ્ટમાં કોણ કોણ સામેલ છે? આ અંગેની માહિતી હજુ આવવાની બાકી છે. આ ફિલ્મનું નિર્દેશન ગુરમીત સિંહ કરી રહ્યા છે. આ ફિલ્મ 2024 કે 2025માં નહીં પરંતુ 2026માં રિલીઝ થવાની છે.

આ પણ જૂઓ: નાગા ચૈતન્યના બીજા લગ્ન કરતા પહેલા લીધો મોટો નિર્ણય, સામંથાની છેલ્લી નિશાની દૂર કરી

Back to top button