

જો તમારૂં ભવિષ્ય નિધિ ખાતું ખુલ્લું છે, તો તેના પર મળતા વ્યાજમાં ઘટાડો થવાની સંભાવના છે. પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીએફ પરના વ્યાજ દરને લઈને 25 કે 26 માર્ચના રોજ EPFO બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક યોજાવા જઈ રહી છે. ચાલુ નાણાકીય વર્ષ માટે પીએફ પરના વ્યાજમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે. નોંધપાત્ર રીતે, પીએફ પર વર્તમાન વ્યાજ દર 43 વર્ષમાં સૌથી નીચા સ્તરે છે. હાલમાં EPFOના સાડા છ કરોડથી વધુ સબસ્ક્રાઈબર્સ છે.
વ્યાજદર યથાવત પણ રાખી શકે છે
સૂત્રોના જણાવ્યા અનુસાર, EPFO વર્તમાન વ્યાજ દર 8.1 ટકા જાળવી રાખી શકે છે અથવા તેને નજીવો ઘટાડીને 8 ટકા કરી શકે છે. ઇક્વિટી રોકાણમાં વધુ વળતરની સંભાવનાને ધ્યાનમાં રાખીને આ કરી શકાય છે. હાલમાં, EPFO ડેટ સાધનોમાં 85 ટકા રોકાણ કરે છે, જેમાં સરકારી સિક્યોરિટીઝ અને બોન્ડનો સમાવેશ થાય છે. બાકીના 15 ટકા ઇટીએફમાં રોકાણ કરવામાં આવે છે. પીએફનું વ્યાજ ડેટ અને ઇક્વિટીમાંથી થતી કમાણીનાં આધારે નક્કી કરવામાં આવે છે. પીએફ પર ઉપલબ્ધ વ્યાજ દર ચાર દાયકામાં સૌથી નીચા સ્તરે છે.

ક્યાં વર્ષમાં કેટલો વ્યાજદર હતો ?
EPFOએ વર્ષ 2021-22 માટે વ્યાજનો દર 8.1 ટકા નક્કી કર્યો હતો, અગાઉ 2020-21 માં PF પર 8.5 ટકાના દરે વ્યાજ મળતું હતું. નાણાકીય વર્ષ 2020-21 માં પીએફના વ્યાજ દરમાં કોઈ ફેરફાર થયો નથી. તેના એક વર્ષ પહેલા 2019-20માં આ વ્યાજ દર 8.65 ટકાથી ઘટાડીને 8.5 ટકા કરવામાં આવ્યો હતો.
નિવૃત્ત EPF સભ્યો પાસેથી 91258 ઓનલાઈન અરજીઓ મળી
ગઈકાલે એક નિવેદનમાં, EPFOએ જણાવ્યું હતું કે જેઓ 1 સપ્ટેમ્બર, 2014 ના રોજ EPF સભ્યો હતા, તેમને 27 ફેબ્રુઆરીથી ઓનલાઈન અરજીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને પહેલાથી જ 8897 સભ્યોએ તેમના એમ્પ્લોયરને અરજી કરી છે. આ ઉપરાંત, EPFO ને 4 માર્ચ સુધી નિવૃત્ત EPF સભ્યો પાસેથી 91258 ઓનલાઈન અરજીઓ મળી છે. આ અરજીઓ એવા સભ્યો માટે છે જેમને 1લી સપ્ટેમ્બર, 2014 પહેલા ઉચ્ચ પેન્શન માટે ધ્યાનમાં લેવામાં આવ્યા ન હતા.