ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘રિયલ NCP’ માટેની લડાઈમાં સુપ્રીમ કોર્ટમાંથી પણ શરદ પવાર જૂથને કોઈ રાહત નહીં

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી: સુપ્રીમ કોર્ટથી શરદ પવારને વધુ એક ફટકો પડ્યો છે. મહારાષ્ટ્રમાં રિયલ NCPની લડાઈને લઈને શરદ પવારને રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે અજિત પવાર જૂથને વાસ્તવિક NCP જાહેર કરવાના ચૂંટણી પંચના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે. જો કે, સર્વોચ્ચ અદાલતે સોમવારે કહ્યું કે તે આ કેસમાં શરદ પવારની અરજીની તપાસ કરવા માટે તૈયાર છે. કોર્ટે અજિત પવાર અને ચૂંટણી પંચને નોટિસ પાઠવીને 2 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. હવે આ મામલામાં આગામી સુનાવણી 3 અઠવાડિયા પછી થશે.

સુપ્રીમ કોર્ટની આગામી સુનાવણી સુધી, શરદ પવાર તેમના રાજકીય પક્ષ માટે ‘NCP શરદ ચંદ્ર પવાર’ નામનો ઉપયોગ કરશે. જો પવાર તેમની પાર્ટી એનસીપી શરદચંદ્ર પવાર માટે ચૂંટણી પંચ પાસે પ્રતીકની માંગ કરે છે, તો ચૂંટણી પંચે એક અઠવાડિયામાં પ્રતીક ફાળવી દેવું જોઈએ.

આ કેસની સુનાવણી જસ્ટિસ સૂર્યકાન્ત, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ કે.વી.વિશ્વનાથનની બેન્ચમાં થઈ હતી. શરદ પવારે અજિત પવાર જૂથને વાસ્તવિક NCP જાહેર કરવાના અને ઘડિયાળને ‘ચૂંટણી’ ચિન્હ આપવાના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે. શુક્રવારે શરદ પવાર તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે એવી સંભાવના છે કે શરદ પવારને અજિત પવાર દ્વારા જારી કરાયેલા વ્હીપનો સામનો કરવો પડી શકે છે.

વાસ્તવમાં મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર આવતા અઠવાડિયે શરૂ થશે. તે જ સમયે, શરદ પવારના જૂથને હજી સુધી કોઈ પક્ષનું પ્રતીક ફાળવવામાં આવ્યું નથી. તે એક વિચિત્ર સ્થિતિ હશે કારણ કે, ચૂંટણી પંચના આદેશને કારણે, જ્યારે આગામી સપ્તાહે વિધાનસભા શરૂ થશે, ત્યારે શરદ પવાર અજિત પવારના વ્હીપ હેઠળ હશે.

શરદ પવારે 1999માં કોંગ્રેસ સાથેના સંબંધો તોડી નાખ્યા અને પી સંગમા અને તારિક અનવર સાથે મળીને એનસીપીની રચના કરી. અજિત પવારના નેતૃત્વમાં ગત વર્ષે જુલાઈમાં ઘણા ધારાસભ્યોએ શરદ પવાર વિરુદ્ધ બળવો કર્યો હતો. તેઓ એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારમાં અને ભાજપ સાથે ગઠબંધનમાં જોડાયા હતા.

ચૂંટણી પંચે 6 ફેબ્રુઆરીએ પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો

6 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી પંચે અજિત પવારના જૂથને વાસ્તવિક NCP માન્યું હતું. ચૂંટણી પંચે બહુમતીના આધારે આ નિર્ણય લીધો છે. પંચે કહ્યું કે અજિત પવાર જૂથ NCPના નામ અને ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરી શકે છે. તેના એક દિવસ પછી ચૂંટણી પંચે શરદ પવાર જૂથનું નામ NCP શરદ ચંદ્ર પવાર રાખ્યું. જોકે ચૂંટણી ચિન્હ આપવામાં આવ્યું ન હતું.

ચૂંટણી પંચે આ દલીલો કરી હતી

ચૂંટણી પંચે કહ્યું કે NCP સાંસદો, ધારાસભ્યો અને MLCની કુલ સંખ્યા 81 છે. તેમાંથી અજિત પવારના સમર્થનમાં 57 ધારાસભ્યોના એફિડેવિટ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યારે શરદ પવારના ખાતામાં માત્ર 28 એફિડેવિટ હતા.

અજિત પવાર સાથે કેટલા ધારાસભ્યો છે

અજિતને મહારાષ્ટ્રના 41 ધારાસભ્યો, વિધાન પરિષદના 5 એમએલસી, નાગાલેન્ડના તમામ 7 ધારાસભ્યો, ઝારખંડના એક ધારાસભ્ય, લોકસભાના 2 સાંસદ અને રાજ્યસભાના એક સાંસદનું સમર્થન છે. બંને પક્ષોના સમર્થનમાં 5 ધારાસભ્યો અને એક લોકસભા સાંસદે એફિડેવિટ આપી છે. ચૂંટણી પંચે કહ્યું કે જો આ 6ને હટાવી દેવામાં આવે તો પણ અજિત પવારનું જૂથ બહુમતીમાં છે. આ કારણથી તેઓ અસલી NCP છે.

ગયા વર્ષે 1 જુલાઈના રોજ અજિત પવારે NCP પર દાવો કરવા માટે ચૂંટણી સિમ્બોલ ઓર્ડર, 1968 હેઠળ ચૂંટણી પંચમાં અરજી કરી હતી. આ પછી, 10 થી વધુ સુનાવણી પછી, ચૂંટણી પંચે 6 ફેબ્રુઆરીએ પોતાનો નિર્ણય આપ્યો.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની તબિયત ફરી બગડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ

Back to top button