ગુજરાતટોપ ન્યૂઝ

સુરતમાં 112 બ્રિજ પર ટુ-વ્હિલરને નો-એન્ટ્રી, જાણો શું છે કારણ

Text To Speech

ઉતરાયણમાં સુરતના તમામ ઓવરબ્રિજ પર ટુ-વ્હીલર ચલાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેમાં ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તથા બ્રિજ નજીક પોલીસકર્મી અને TRB જવાન તૈનાત કરાશે. જેમાં દોરીથી ગંભીર પ્રકારની ઇજાઓથી બચવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

પતંગના ધારદાર દોરાને ધ્યાનમાં રાખી જાહેરનામું બહાર પાડ્યું

ઉલ્લેખનીય છે કે ગંભીર પ્રકારની ઇજાઓથી બચવા જાહેરનામું બહાર પાડવા આવ્યુ છે. અગાઉ સુરતમાં બ્રિજ ઉપર અનેક લોકો પતંગની દોરીના શિકાર બન્યા છે. તેથી બ્રિજ નજીક પોલીસ કર્મી અને TRB જવાન ઉભા રેહશે. તથા પતંગના ધારદાર દોરાને ધ્યાનમાં રાખી જાહેરનામું બહાર પાડ્યું છે. તેમજ વાહન ચાલકોને થતી ગંભીર પ્રકારની ઇજાઓથી બચાવવા જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં લોકોની સલામતી તેમજ સુરક્ષાના ભાગરૂપે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

મકરસંક્રાંતિ 2023: જાણો શુભ મુહુર્ત અને તેનુ મહત્ત્વ hum dekhenge news

ઇજાથી વાહન ચાલકોને બચાવવા માટે પ્રયાસ

સુરતમાં ઓવર બ્રિજ ઉપર લોકો પતંગના દોરાનો શિકાર ના બને તે માટે સાવચેતીના ભાગ રૂપે ઓવર બ્રિજ પર ટુ વ્હીલર ચાલકો માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉતરાયણના દિવસે વાહન ચાલકોને ગંભીર પ્રકારની ઇજાથી બચાવી શકાશે.

Back to top button