ટ્રેન્ડિંગબિઝનેસમનોરંજનયુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

નીતા અંબાણીને મોટી જવાબદારી મળી શકે છે, રિલાયન્સ-ડિઝની મર્જર પર મોટું અપડેટ!

જામનગર, 28 ફેબ્રુઆરી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ડિઝની મર્જર ડીલ અંગે સતત નવા અપડેટ્સ આવી રહ્યા છે. આ દરમિયાન એક મોટા સમાચાર આવ્યા છે કે રિલાયન્સના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીને મનોરંજન અને મીડિયા ઉદ્યોગમાં એક મોટા ખેલાડી બનવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને વોલ્ટ ડિઝની વચ્ચે મર્જરથી બનવા વાળી એન્ટિટીના અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. હાલમાં નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનની જવાબદારી સંભાળી રહ્યા છે.

ડીલ અંગેની જાહેરાત

એક અહેવાલ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રિલાયન્સ અને વોલ્ટ ડિઝની ટૂંક સમયમાં તેમના મર્જરની ડીલની જાહેરાત કરશે. એક રિપોર્ટ અનુસાર, 28 ફેબ્રુઆરી એટલે કે આજે બુધવારે આ અંગે મોટી જાહેરાત કરવામાં આવશે એવી આશા છે. સાથે જ, એ પણ કહેવામાં આવ્યું છે કે મર્જર બાદ નીતા અંબાણીને નવા બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવે તેવી શક્યતા છે.

રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક

નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક છે અને હાલમાં તેમનું સમગ્ર ધ્યાન આ ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓ પર છે. આના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે, તેમણે ગયા વર્ષે બોર્ડ ઓફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL બોર્ડ)માંથી રાજીનામું આપ્યું હતું. આ સિવાય નીતા અંબાણી મુંબઈ સ્થિત નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMAC)ના સંસ્થાપક પણ છે. જે કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે કાર્યરત છે.

મર્જર પછી RIL પાસે આટલો હિસ્સો છે!

આ ડીલ અંગે રોઇટર્સના એક અહેવાલમાં જણાવામાં આવ્યું છે કે, મર્જર પછી રચાયેલી નવી એન્ટિટી મુકેશ અંબાણીની રિલાયન્સ પાસે 51-54 ટકાની હિસ્સેદારી હશે, જ્યારે જેમ્સ મર્ડોક અને ઉદય શંકર વચ્ચેનું જોઇન્ટ વેન્ચર બોધિ ટ્રી 9 ટકા હિસ્સો લેવા માટે તૈયાર છે. જ્યારે આ સોદો સફળ થયા પછી વોલ્ટ ડિઝની પાસે 40 ટકા હિસ્સો રહેશે. અગાઉ બ્લૂમબર્ગના રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે નવી કંપનીમાં રિલાયન્સનો 61 ટકા હિસ્સો હશે.

રિલાયન્સ-ડિઝની તરફથી કોઈ ટિપ્પણી નહીં

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો બિઝનેસ ઓઈલ સેક્ટરથી લઈને રિટેલ સુધી વિસ્તર્યો છે અને હવે મીડિયા એન્ટરટેઈનમેન્ટ સેક્ટરમાં અબજપતિ મુકેશ અંબાણીની કંપની કિંગ બનવાની તૈયારી કરી રહી છે. વોલ્ટ ડિઝની સાથેની ડીલ પણ આ દિશામાં એક મોટું પગલું છે. જો કે, નવી સંસ્થાના અધ્યક્ષ તરીકે નીતા અંબાણીની નિમણૂક અંગે રિલાયન્સ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ પહેલા મંગળવારે રિલાયન્સે આ સમાચાર પર સ્પષ્ટતા જારી કરી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ કથિત મર્જર ડીલ બાદ રિલાયન્સ પાસે નવી એન્ટિટીમાં 61 ટકા હિસ્સો હશે.

સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં સ્પષ્ટતા જારી કરતાં રિલાયન્સે કહ્યું કે હાલમાં કંપની આ ડીલ અંગે ચાલી રહેલી અટકળો પર કોઈ ટિપ્પણી કરશે નહીં. ફાઇલિંગમાં, કંપનીએ જણાવ્યું હતું કે અમે સ્પષ્ટતા કરીએ છીએ કે અમે મીડિયાની અટકળો પર ટિપ્પણી કરવામાં અસમર્થ છીએ, કંપની વિવિધ તકોનું મૂલ્યાંકન કરે છે અને સ્ટોક એક્સચેન્જને તેના વિકાસ વિશે જાણ કરવામાં આવે છે. રિપોર્ટમાં એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે રિલાયન્સ આ ડીલમાં $1.5 બિલિયનનું રોકાણ કરશે.

આ પણ વાંચો : 2035 સુધીમાં ભારતનું અંતરિક્ષમાં પોતાનું સ્પેસ સેન્ટર હશે’- PM મોદી

Back to top button