ટ્રેન્ડિંગમનોરંજનમહાકુંભ 2025

ગળામાં રુદ્રાક્ષ અને ભગવો કુર્તો પહેરીને નિમરત કૌર પહોંચી મહાકુંભ, જુઓ તસવીર

Text To Speech
  • ફિલ્મ અભિનેત્રી નિમરત કૌર પણ પ્રયાગરાજ પહોંચી અને મહાકુંભ સ્નાનમાં ભાગ લીધો હતો. તેણે મહાકુંભ યાત્રાનો પોતાનો અનુભવ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

20 ફેબ્રુઆરી, પ્રયાગરાજઃ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં હજુ પણ ભક્તો આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. દેશ અને દુનિયાભરમાંથી લાખો ભક્તો અને પ્રતિષ્ઠિત હસ્તીઓ મહાકુંભમાં સ્નાન કરવા માટે પહોંચી રહી છે. આ દરમિયાન ફિલ્મ અભિનેત્રી નિમરત કૌર પણ પ્રયાગરાજ પહોંચી અને મહાકુંભ સ્નાનમાં ભાગ લીધો. અહીં પહોંચ્યા પછી, તેણે ત્રિવેણી સંગમમાં ધાર્મિક સ્નાન કર્યું છે. તેણે મહાકુંભ યાત્રાનો પોતાનો અનુભવ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

બોલિવૂડ અભિનેત્રી નિમરત કૌરે પોતાના સોશિયલ મીડિયા પર મહાકુંભની ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી પીળા રંગનો કૂર્તો પહેરેલી જોવા મળી રહી છે. કપાળ પર તિલક અને ગળામાં રુદ્રાક્ષની માળા સાથે, નિમરત સંપૂર્ણપણે ભક્તિમાં ડૂબેલી દેખાતી હતી. કેટલાક વીડિયોમાં તે ત્રિવેણી સંગમ ઘાટ પર પવિત્ર સ્નાન કરતી, હાથ જોડીને નમન કરતી અને ફૂલો અને પ્રસાદ અર્પણ કરતી અને ભક્તિમાં ડૂબેલી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Nimrat Kaur (@nimratofficial)

સંગમ નદીમાં ફૂલો ચઢાવ્યા પછી, તેણે મંત્રોનો જાપ કરતા કરતા સ્નાન કર્યું હતું. ડૂબકી લગાવતી વખતે તે મંત્રોચ્ચાર કરતી જોઈ શકાય છે. આ પછી તેણે નદીમાં દૂધ ચઢાવ્યું. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર આ ઝલક શેર કરતી વખતે એક લાંબું કેપ્શન લખ્યું છે. તેમાં તેણે જણાવ્યું હતું કે મહાકુંભના ભવ્ય કાર્યક્રમમાં ભાગ લઈને તે મંત્રમુગ્ધ થઈ ગઈ હતી. પ્રયાગરાજ પહોંચ્યા બાદ નિમરત કૌરે પ્રખ્યાત બડા હનુમાન મંદિરની પણ મુલાકાત લીધી. આ ઉપરાંત તેણે નજીકના સ્થળોની પણ મુલાકાત લીધી હતી.

આ પણ વાંચોઃ સમય રૈનાએ લાઈવ શોમાં કહ્યું, ‘કદાચ સમય ખરાબ ચાલી રહ્યો છે મારો, પણ યાદ રાખજો…’

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button