ટોપ ન્યૂઝનેશનલ

NEET પેપર લીક કેસ : પટના AIIMSના 3 ડોક્ટરોની અટકાયત

  • સીબીઆઈ પેપર લીક કેસમાં ગેંગના સોલ્વર્સ કનેક્શન સુધી પહોંચી
  • ડોક્ટરોના લેપટોપ અને મોબાઈલ ફોન જપ્ત કરાયા

પટના, 18 જુલાઈ : NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં આજે થનારી સુનાવણી પહેલા CBIને મોટી સફળતા મળી છે. સીબીઆઈ પેપર લીક ગેંગના સોલ્વર્સ કનેક્શન સુધી પહોંચી ગઈ છે અને આ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સીએ પટના એઈમ્સના ત્રણ ડોક્ટરોની અટકાયત કરી છે. CBI ત્રણેય ડોક્ટરોને પૂછપરછ માટે પોતાની સાથે લઈ ગઈ છે.

ત્રણેય ડોક્ટરો 2021ની બેચના મેડિકલ સ્ટુડન્ટ છે

સીબીઆઈએ અટકાયત કરેલા ત્રણેય ડોક્ટરો 2021ની બેચના મેડિકલ સ્ટુડન્ટ છે. સીબીઆઈએ આ ત્રણ ડોક્ટરોના રૂમને પણ સીલ કરી દીધા છે અને તેમના લેપટોપ અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. સીબીઆઈએ પેપર વહન કરતી ટ્રકમાંથી પત્રિકાઓ ફેલાવનાર પંકજને પણ પકડી લીધો છે, જે હજારીબાગની ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ સાથે કનેક્શન ધરાવે છે. હજારીબાગની આ શાળામાંથી પેપર સંજીવ મુખિયા સુધી પહોંચ્યું હતું.

ગત મંગળવારે બે લોકોની ધરપકડ કરાઈ હતી

ગત મંગળવારે જ CBIએ NEET પેપર લીક કેસમાં બે લોકોની ધરપકડ કરી હતી. સીબીઆઈએ પટનામાંથી પંકજ કુમાર અને ઝારખંડના હજારીબાગમાંથી રાજુ સિંહ નામની વ્યક્તિની ધરપકડ કરી હતી. પંકજ પર હજારીબાગમાં એક ટ્રકમાંથી પેપર ચોરી કરીને આગળ વહેંચવાનો આરોપ છે. રાજુ સિંહે લોકોને આગળ પેપર વિતરણ કરવામાં મદદ કરી હતી.મળતી માહિતી મુજબ, પંકજ સિવિલ એન્જિનિયર છે અને તે ઝારખંડના બોકારોનો રહેવાસી છે. તેણે જ હજારીબાગમાં ટ્રંકમાંથી પેપર ચોરીને આગળ વહેંચી દીધું હતું. રાજુ સિંહે પેપરનું વધુ વિતરણ કરવામાં મદદ કરી હતી. પંકજ પેપર ચોરીનો માસ્ટર માઇન્ડ છે, સૂત્રોના જણાવ્યા અનુસાર, પંકન કુમાર ઉર્ફે આદિત્ય કુમારે ટ્રકમાંથી પેપર ચોર્યા હતા અને આગળ તેની ગેંગના સભ્યોમાં વહેંચી દીધા હતા. NTAએ આ ટ્રકનો ઉપયોગ કરીને પેપરને જુદા જુદા સેન્ટરોમાં પહોંચાડ્યા હતા.

આ પણ વાંચો : ADB : FY25 માટે ભારતનો GDP વૃદ્ધિ દર અંદાજ સાત ટકા પર યથાવત, કૃષિ ક્ષેત્રમાં સુધારાની અપેક્ષા

પંકજની ધરપકડ સાથે જ પેપર લીક થયું હોવાનું સંપૂર્ણ સ્પષ્ટ થયું

જે બાદ સીબીઆઈએ રાજુ નામના બીજા વ્યક્તિની ધરપકડ કરી. રાજુની ઝારખંડના હજારીબાગમાંથી ધરપકડ કરવામાં આવી છે. રાજુએ પંકજ મારફતે પેપર મેળવ્યું અને રાજુએ પેપરનું વિતરણ પણ કર્યું. આ બંને ધરપકડ NEET કેસમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પંકજની ધરપકડ સાથે જ પેપર લીક થયું હોવાનું સંપૂર્ણ સ્પષ્ટ થઈ ગયું હતું.

માસ્ટરમાઈન્ડ સંજીવ મુખિયા હજુ પણ ફરાર

NEET પેપર લીકનો માસ્ટરમાઈન્ડ સંજીવ મુખિયા હજુ પણ ફરાર છે, મુખિયા પેપર લીક કરવામાં સૌથી મોટો સૂત્રધાર છે, બિહાર ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં ફેલાયેલા પેપર લીક સુત્રધારો સાથે સંજીવ મુખિયાની સાંઠગાંઠ છે.

શું હતો સમગ્ર મામલો?

4 જૂને NEET UG પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારથી ઉમેદવારોમાં ગભરાટનો માહોલ છે. પરિણામ જોયા બાદ લિસ્ટમાં એક જ સેન્ટરમાંથી 67 ટોપર્સ અને 8 ટોપર્સના નામ જોતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં ગોટાળાની શંકા ગઈ હતી. આ પછી વિદ્યાર્થીઓએ શેરીઓથી લઈને સોશિયલ મીડિયા પર NTA વિરુદ્ધ તપાસની માંગ ઉઠાવી હતી. સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી હતી અને તે દરમિયાન કોર્ટની સામે, NTA એ નિર્ણય લીધો હતો કે તે ગ્રેસ માર્કસવાળા ઉમેદવારોની પુનઃપરીક્ષા કરશે. પરીક્ષા 23મી જૂને યોજાઈ હતી અને ટોપર્સ 67થી ઘટીને 61 થઈ ગયા હતા.

આ પણ વાંચો : અમેરિકામાં ચૂંટણી વચ્ચે પ્રમુખ બાઇડનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

Back to top button