ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નકસલીઓ હથિયાર છોડી દે, નહીંતર… બકસરમાં અમિત શાહનો ખોંખારો

Text To Speech

બકસર, 20 સપ્ટેમ્બર : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નક્સલવાદીઓને હિંસા છોડી દેવા, શસ્ત્રો નીચે મૂકવા અને આત્મસમર્પણ કરવાની અપીલ કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે, જો નક્સલવાદીઓ હિંસા છોડી દેવાની મારી અપીલને સ્વીકારશે નહીં, તો અમે ટૂંક સમયમાં તેમની સામે મોટા પાયે ઓપરેશન શરૂ કરીશું.  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, અમે નક્સલવાદને ખતમ કરીશું. હું અપીલ કરું છું કે તેઓ કાયદા સમક્ષ આત્મસમર્પણ કરે, તેમના હથિયાર છોડી દે.

પૂર્વોત્તર અને કાશ્મીરમાં ઘણી જગ્યાએ ઘણા લોકોએ પોતાના શસ્ત્રો છોડી દીધા છે અને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે. મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે તમારું પણ સ્વાગત છે પરંતુ જો એવું નહીં થાય તો અમે તેની વિરુદ્ધ અભિયાન શરૂ કરીશું અને તેમાં સફળ પણ થઈશું. શાહે છત્તીસગઢમાં નક્સલવાદી હુમલાના 55 પીડિતોને નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાનથી સંબોધિત કરતા એમ પણ કહ્યું હતું કે 31 માર્ચ, 2026 સુધીમાં માઓવાદ સંપૂર્ણપણે ખતમ થઈ જશે.

આ પણ વાંચો :- લેન્ડ ફૉર જોબ કેસમાં લાલુ યાદવ સામે કેસ ચલાવવાની CBIને મળી મંજૂરી

તેમણે કહ્યું કે આ પછી નક્સલને ખતમ કરી દેવામાં આવશે.  તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાંથી નક્સલવાદી હિંસા અને વિચારધારાને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે.  આ કાર્યને પાર પાડવા માટે સરકારે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે સુરક્ષા દળોએ માઓવાદીઓ સામેની તેમની કામગીરીમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે અને સમસ્યા હવે છત્તીસગઢના માત્ર ચાર જિલ્લાઓ સુધી મર્યાદિત છે.

દરમિયાન તેમણે કહ્યું કે માઓવાદીઓએ એક સમયે પશુપતિનાથ (નેપાળ) થી તિરુપતિ (આંધ્રપ્રદેશ) સુધી કોરિડોર બનાવવાનું કાવતરું ઘડ્યું હતું, પરંતુ મોદી સરકારે તેને નિષ્ફળ બનાવી દીધું હતું. શાહે કહ્યું કે ગૃહ મંત્રાલય ટૂંક સમયમાં રાજ્ય સરકાર સાથે મળીને છત્તીસગઢમાં નક્સલી હિંસાથી પ્રભાવિત લોકો માટે કલ્યાણ યોજના તૈયાર કરશે.

આ પણ વાંચો :- PM બન્યા બાદ નરેન્દ્ર મોદી નવમી વખત અમેરિકા જશે, જાણો અન્ય વડાપ્રધાન કેટલી વખત ગયા

Back to top button