ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સાપુતારામાં મોટી દુર્ઘટના: પેસેન્જર ભરેલી બસ 200 ફુટ ઊંડી ખીણમાં ખાબકી, 7ના મૃત્યુ

Text To Speech

સાપુતારા, 02 ફેબ્રુઆરી 2025: સાપુતારામાં મોટી દુર્ઘટના થઈ છે. પેસેન્જર ભરેલી બસ 200 ફુટ ઊંડી ખીણમાં ખાબકી છે, જેમાં 7 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રના નાશિક-ગુજરાત હાઈવે પર એક મોટો અકસ્માત થયો છે. એક લક્ઝરી બસ 200 ફુટ ઊંડી ખીણમાં ખાબકી છે. આ દુર્ઘટના રવિવાર સવારે લગભગ 5.30 કલાકે થઈ છે. પ્રાથમિક જાણકારી અનુસાર આ દુર્ઘટનામાં 7 યાત્રીઓના મૃત્યુ થયા છે અને 15 અન્ય ઘાયલ હોવાનું કહેવાય છે. જેમાંથી અમુકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

કંટ્રોલ ગુમાવી દેતા આ દુર્ઘટના થઈ હોવાનું સામે આવ્યું

પ્રાથમિક જાણકારી અનુસાર, કંટ્રોલ ગુમાવી દેતા આ બસ ખીણમાં જઈને પડી. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે બસ નાસિકથી સાપુતારા ઘાટ થઈને સૂરત તરફ જઈ રહી હતી. પોલીસ તરફથી મળતી માહિતી અનુસાર, તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. મોટા ભાગના મુસાફરો મધ્ય પ્રદેશના રહેવાસી છે અને નાશિકના તીર્થ સ્થળે દર્શન કરવા આવ્યા હતા. હાલમાં પોલીસની ટીમ આ મામલે તપાસ કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, બસમાં 48 મુસાફરો બેઠા હતા અને

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં સાત તીર્થયાત્રીઓના મોત થયા છે અને 17 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને આહવાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે.અમુક અન્યને મામૂલી ઈજા થઈ છે. બચાવ અભિયાન લગભગ પુરુ થઈ ચુક્યું છે.

આ પણ વાંચો: અમદાવાદ: ઇન્કમ ટેક્સ અંડરબ્રિજ એક તરફ અવરજવર માટે બંધ

Back to top button