નસીરુદ્દીન શાહે ‘The Kerala Story’ને ‘ખતરનાક ટ્રેન્ડ’ ગણાવી, કહ્યું- ‘ન મેં જોઈ છે, ન તો જોઈશ’


ફિલ્મ નિર્માતા વિપુલ શાહની ‘The Kerala Story’ ઘણી પ્રશંસા મેળવી રહી છે. વિવાદોમાં હોવા છતાં પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. જોકે અભિનેતા નસીરુદ્દીન શાહ આ ફિલ્મને એક અલગ જ દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છે. નસીરુદ્દીન કહે છે કે તે આ ફિલ્મ જોવા નથી માંગતા.
નસીરુદ્દીન શાહ કહે છે કે ‘અફવાહ’, ‘ભીડ’ અને ‘ફરાઝ’ જેવી સારી ફિલ્મો બોક્સ-ઓફિસ પર ચાલી નહીં, પરંતુ ‘The Kerala Story’ જેવી ફિલ્મ મોટા પડદા પર ધમાલ મચાવી રહી છે. તે કહે છે કે લોકો આ ફિલ્મ વિશે મોટી-મોટી વાતો કરી રહ્યા છે, પરંતુ ન તો તેમણે હજુ સુધી આ ફિલ્મ જોઈ છે અને ન તો તે જોવા માંગે છે.
The Kerala Story ફિલ્મ સરકારનું કાવતરુંઃ નસીરુદ્દીન
નસીરુદ્દીન શાહે આ ટ્રેન્ડને જર્મનીના નાઝીવાદ સાથે જોડ્યો. તેમનું કહેવું છે કે હિટલરના સમયમાં સરકાર કે નેતાઓ ફિલ્મ નિર્માતાઓ પોતાના પર ફિલ્મો બનાવડાવતા હતા, જેમાં તેમના વખાણ કરવામાં આવતા હતા અને બતાવવામાં આવતા હતા કે સરકારે દેશના લોકો માટે શું કર્યું છે. આ કારણે ઘણા ફિલ્મમેકર્સ જર્મની છોડીને હોલીવુડ જતા હતા અને ત્યાં ફિલ્મો બનાવતા હતા. અત્યારે અહીં પણ એવું જ થઈ રહ્યું છે.
આ ફિલ્મ શરૂઆતથી જ વિવાદોમાં
તમને જણાવી દઈએ કે અદા શર્મા સ્ટારર ફિલ્મ ‘The Kerala Story’ની સ્ટોરી જોરદાર હોવા છતાં પણ તે રિલીઝ પહેલા જ ચર્ચામાં છે. રિલીઝ થયાને કેટલાંક અઠવાડિયાં વીતી ગયાં છતાં પણ આ ફિલ્મને લઈને વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, વિવાદો વચ્ચે પણ દર્શકોને આ ફિલ્મ પસંદ આવી રહી છે. ઘણા લોકો આ ફિલ્મ વિશે સકારાત્મક પ્રતિસાદ આપી રહ્યા છે, પરંતુ અભિનેતા કમલ હાસન અને કોલકાતાના ફિલ્મ નિર્માતા અનિક ચૌધરીએ તેને ‘પ્રોપેગન્ડા ફિલ્મ’ ગણાવી છે, જેના કારણે સોશિયલ મીડિયા પર તેમની ખૂબ ટીકા થઈ રહી છે.