ટ્રેન્ડિંગમનોરંજન

નાગા ચૈતન્યએ શોભિતા ધુલિપાલા સાથે કરી સગાઈ, નાગાર્જુને દર્શાવ્યો પ્રેમ

Text To Speech
  • નાગા ચૈતન્યએ શોભિતા ધુલિપાલા સાથે સગાઈ કરી લીધી છે. આ કપલની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે

8 ઓગસ્ટ, ચેન્નઈઃ મનોરંજન જગતમાંથી આજે એક ગુડ ન્યુઝ સામે આવ્યા છે. નાગા ચૈતન્યએ શોભિતા ધુલિપાલા સાથે સગાઈ કરી લીધી છે. આ કપલની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. આ કપલે આજે (8 ઓગસ્ટ)ના રોજ એકબીજાને સગાઈની અંગુઠી પહેરાવી છે. સગાઈના થોડા કલાકો બાદ પિતા સુપરસ્ટાર નાગાર્જુને પોતાના ટ્વિટર હેન્ડલ પર આ કપલની ઓફિશિયલ તસવીરો શેર કરી હતી અને દિકરા-વહૂને અભિનંદન આપ્યા હતા. તેમણે શોભિતાનું પરિવારમાં સ્વાગત કર્યું છે.

નાગાર્જૂને નોટમાં લખ્યું છે કે મને મારા દિકરા નાગા ચૈતન્યની શોભિતા ધૂલિપાલા સાથે સગાઈની જાહેરાત કરતા ખુશી થઈ રહી છે. અમને અમારા પરિવારમાં શોભિતાનું સ્વાગત કરતા ખુશીની અનુભુતિ થાય છે. એક ખુશહાલ કપલને અભિનંદન. તેમના જીવનમાં પ્રેમ અને ખુશીઓ હંમેશા રહે તેવી શુભકામના. ભગવાન તેમનું ભલું કરે, 8.8.8ના અનંત પ્રેમની શુભકામના.

લાંબા સમયથી હતી અફેરની ચર્ચાઓ

નાગા ચૈતન્ય અને શોભિતા ધુલિપાલાની ડેટિંગની અફવાઓ ઘણા સમયથી ચર્ચાઓમાં હતી. આ બધું ગયા વર્ષે મે મહિનામાં શરૂ થયું હતું જ્યારે તેઓ પહેલીવાર હૈદરાબાદમાં નાગાના ઘરે સાથે જોવા મળ્યા હતા, જ્યાં શોભિતા તેની ફિલ્મ ‘મેજર’નું પ્રમોશન કરી રહી હતી. અહેવાલો અનુસાર અભિનેત્રી ફિલ્મ પ્રમોશન માટે શહેરમાં હતી. તેણે નાગા અને કેટલાક મિત્રો સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.

સામંથા અને નાગા ચૈતન્ય 2021માં અલગ થયા હતા

નાગા ચૈતન્યના પ્રથમ લગ્ન સામંથા રૂથ પ્રભુ સાથે થયા હતા. 2017 માં લગ્નના બંધનમાં બંધાયા પહેલા બંને થોડા વર્ષો સુધી રિલેશનમાં રહ્યા હતા. આ દંપતીએ તેમના લગ્નના ચાર વર્ષ પછી ઓક્ટોબર 2021 માં તેમના અલગ થવાની જાહેરાત કરી હતી. આ પછી, તેમણે એક નિવેદન જારી કરીને ચાહકોને કહ્યું કે તેઓ આગળ વધી રહ્યા છે અને લોકો તેમનું સન્માન કરે.

આ પણ વાંચોઃ મનુ ભાકરના મેડલ સાથે પોઝ આપવો એક્ટરને ભારે પડ્યો, લોકોએ ટીકા કરી

Back to top button