ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

હત્યા કે આત્મહત્યા? વડોદરામાં બે સ્થળો પરથી મળ્યા મૃતદેહ; પોલીસે તપાસ હાથ ધરી

Text To Speech

વડોદરા, 15 ઓકટોબર, વડોદરા શહેરમાં મંગળવારે બે વ્યક્તિઓના મૃત્યુની ઘટના સામે આવી છે. એક યુવકે પ્રતાપનગર બ્રિજ ઉપરથી પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. તો બીજી તરફ ભાયલી ટીપી વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં આધેડની ઝાડ ઉપર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ભાયલી ટીપી વિસ્તારમાં આજે સવારે ઝાડ પર એક યુવકનો લટકટી હાલતમાં મૃતદેહ મળતા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. યુવકની ઓળખ કરી તેના પરિવારોને જાણ કરી આપઘાત કે હત્યાને શંકાના આધારે તપાસ હાથ ધરી છે.

આજે સવારે તાલુકા પોલીસને માહિતી મળી હતી કે ભાયલી ટીપી વિસ્તારમાં વિરામ ફ્લેટ પાસે આવવારું જગ્યામાં ઝાડ પર એક ઉપર વ્યક્તિનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. જેના પગલે તાલુકા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ઝાડ પરથી મૃતદેહ નીચે ઉતાર્યો હતો. પોલીસ મૃતકને ઓળખ માટેના પ્રયાસો શરૂ કર્યા હતા. તે દરમિયાન મૃતકના મોબાઈલ પર રીંગ આવતા પોલીસે ફોન રિસીવ કર્યો હતો. જેના આધારે મૃતકનું નામ જસારામ ભગવાનરામ સુથાર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસને હજી કોઈ ચિઠ્ઠી મળી આવી નથી. યુવકે આપઘાત કર્યો કે પછી કોઈએ તેમની હત્યા કરીને તેના મૃતદેહને ઝાડ પર લટકાવી દીધો છે? તેવી શક્યતાઓના આધારે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ત્યારે અન્ય એક ઘટનામાં સવારે પ્રતાપનગર બ્રિજ ઉપરથી વાડી મહાદેવ તળાવ પાછળ આવેલા વુડાના મકાનમાં રહેતા રણજીત દેવીપૂજક નામના યુવકે મોતની છલાંગ લગાવી દીધી હતી. આ બનાવમાં રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો…વડોદરાની 5 વર્ષની બાળકીની અનોખી સિદ્ધિ, 2.49 મિનિટમાં 9 શ્લોક બોલી બનાવ્યો રેકોર્ડ

Back to top button