ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે પાડોશીએ ગોળીબાર કર્યો, 3ની હાલત ગંભીર


વૈશાલી, બિહાર (20 નવેમ્બર): વૈશાલી જિલ્લામાં ફટાકડા ફોડવાના વિવાદમાં કેટલાક બદમાશોએ ત્રણ લોકો પર ગોળીબાર કર્યો હતો. ડઝનબંધ ગોળીબાર કરાતા એક જ કુટુંબના ત્રણ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે સદર હોસ્પિટલ હાજીપુર લઇ જવાયા હતા. જ્યાંથી તેને વધુ સારી સારવાર માટે પીએમસીએચમાં રીફર કરાયા હતા.આ ઘટના વૈશાલી પોલીસ સ્ટેશન વિસ્તારના અમૃતપુર ગામમાં બની હતી.
VIDEO | Three people shot at over a dispute on bursting of firecrackers in Vaishali, Bihar. “The incident took place at 9 pm on November 19 at Belka village in Vaishali district following a dispute between two groups. Three people were shot at. They have been referred to Patna… pic.twitter.com/WCZRnHdo9I
— Press Trust of India (@PTI_News) November 20, 2023
ફટાકડા ફોડવાને લઈને વિવાદ થયો
પરિવારજનોનું કહેવું છે કે છઠ પૂજા કરીને ઘરે પરત ફર્યા બાદ ઘરના બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા. ત્યારે ગુસ્સે ભરાયેલા પાડોશીએ ફટાકડા ફોડતા અટકાવ્યા હતા. જેને લઈ બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મામલો એટલો વધી ગયો કે પાડોશીએ ત્રણ લોકોને ગોળી ધરબી દીધી હતી. કહેવાઈ રહ્યું છે કે અપશબ્દો બોલવાની ના પાડતા બીજા પક્ષે બંદૂક કાઢીને ગોળીબાર શરૂ કરી દીધો હતો. જો કે, તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સદર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરે પ્રાથમિક સારવાર આપી ત્રણેયને પટણા રિફર કર્યા હતા. ઘાયલોમાં અમૃતપુર ગામના પ્રમોદ રાય (35), પ્રદીપ રાય (70) અને મુકેશ કુમાર (30)ના નામ સામેલ છે.
હજુ સુધી ઘાયલોએ ફરિયાદ નોંધાવી નથી
ઘટના અંગે વૈશાલી પોલીસ સ્ટેશનના વડા ચંદ્રગુપ્ત કુમારે જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તપાસ દરમિયાન ફટાકડા ફોડવા બાબતે બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હોવાનું બહાર આવ્યું હતું. આ વિવાદમાં તાબડતોડ ફાયરિંગ કરાયું હતું, જેમાં ત્રણ લોકો ઘાયલ થયાં હતાં. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે કહ્યું કે ઘાયલોની તરફથી લેખિત અરજી મળવા પર FIR નોંધીને કાર્યવાહી કરાશે. હાલ પોલીસે પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે ઘટના બાદ તમામ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા છે.
આ પણ વાંચો: બિહારના લખીસરાયમાં અંધાધૂંધ ગોળીબાર, એક જ પરિવારના 6 લોકોને વાગી ગોળી