ગુજરાત

રાધનપુરના મહેમદાવાદ ગામની સીમમાં એરંડાના ખેતરમાં ભેલાણ કરતા 15થી વધુ ઘેટાંના મોત

Text To Speech

પાટણઃ રાધનપુરના મહેમદાવાદ ગામની સીમમાં આવેલા એરંડાના ખેતરમાં ભેલાણ કરતા 18 જેટલા ઘેટાના અચાનક મોત થયા છે. આ ઘટનાને પગલે પશુપાલક આઘાતમાં સરી પડ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, પશુપાલક 30 જેટલા ઘેટા સાથે સીમના ખેતરમાં ચરાવવા ગયો હતો. ત્યારે એરંડાના ખેતરમાં રબારી જાયમલભાઈ ગાડાભાઈ આશરે 50 જેટલા ઘેટા-બકરા ચરાવવા ગયા હતા. ત્યારે ખેતરમાં એરંડાનો પાક ખાઈ જતા ઘેટા ધ્રુજવા લાગ્યા હતા અને ટપોટપ પડવા લાગ્યા હતા.

જાયમલભાઈ દોડાદોડ કરીને ઘેટા-બકરાને ભેગા કરવા લાગ્યાં. ત્યારે થોડી જ વારમાં 18 જેટલા ઘેટાના મોત થયા હતા. ઘેટાંના મોતથી જાયમાલ ભાઈ ઉપર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ થઈ ગઈ છે. પશુપાલન કરનાર જાયમલભાઈ રબારીને ખૂબ આઘાત લાગ્યો છે.

Back to top button