ગદર-2 રીલીઝ પર મેકર્સે આપી ખાસ ઓફર, જાણો શું મળશે ટિકિટ પર


ફિલ્મ ગદર-2 ટૂંક સમયમાં રીલીઝ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં તેણે આ માટે એક ખાસ ઓફર પણ રાખી છે.સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ‘ગદર’ ફરી એકવાર સિનેમાઘરોમાં ધમાકેદાર થવા જઈ રહી છે. તારા અને સકીનાની જોડી ફરી સ્ક્રીન પર જોવા મળશે.ફિલ્મ ‘ગદર-2’ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં તેણે આ માટે એક ખાસ ઓફર પણ રાખી છે.ફિલ્મના નિર્માતાએ નક્કી કર્યું છે કે ફિલ્મ ગદરની ટિકિટ 150 રૂપિયા હશે.
આટલું જ નહીં, ફિલ્મની ટિકિટ ખરીદવા પર બીજી ઓફર પણ છે. જ્યારે પણ તમે મૂવી ટિકિટ ખરીદો છો, ત્યારે તમને ‘વન ટિકિટ પર એક ટિકિટ ફ્રી’ મળશે. એટલે કે, અહીં નિર્માતાઓએ ચાહકો માટે 1 ખરીદો અને 1 મફતમાં ઓફર કરીને લોટરી લગાવી છે.ફિલ્મની વાર્તા તારા સિંહની આસપાસ ફરે છે. આ ફિલ્મમાં સની દેઓલ અને અમીષા પટેલ સિવાય અમરીશ પુરી પણ મહત્વના રોલમાં જોવા મળ્યા હતા. ‘ગદર’ના 22 વર્ષ બાદ હવે ‘ગદર 2’ આવી રહી છે. આ ફિલ્મને લઈને દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ છે.
આ પણ વાંચો : ‘આદિપુરૂષ’ ફિલ્મએ રિલીઝ પહેલા જ કરી કમાલ, 432 કરોડની કરી કમાણી
Tara Singh aa rahein hain aapke sheher, kya aap inse milne ke liye taiyaar hain? 🤩
Premiere Details:
Mumbai – 3rd Floor, PVR Dynamix Mall Juhu, 9th June 8 PM
Delhi – Inox, Nehru Place, 9th June 11:30 AM
Jaipur – Raj Mandir Cinema, 9th June 2:30 PM pic.twitter.com/izCOV8lyOx— GadarOfficial (@Gadar_Official) June 7, 2023
આ ફિલ્મમાં અશરફ અલી એટલે કે અમરીશ પુરી જોવા મળશે નહીં. આ સાથે ઓમપુરી, વિવેક શૌક, મિથલેશ ચતુર્વેદી, ડોલી બિન્દ્રા, મુસ્તાક ખાન, ટોની મીરચંદાની આ વખતે જોવા નહીં મળે.વર્ષ 2017માં ઓમ પુરીનું નિધન થયું હતું. વિવેક શૌકનું પણ વર્ષ 2011માં નિધન થયું હતું. મિથલેશ ચતુર્વેદીએ પણ વર્ષ 2022માં દુનિયાને અલવિદા કહી દીધું. હવે જોવાનું એ રહેશે કે આ કલાકારોનું સ્થાન કોણ લે છે.
આ પણ વાંચો : સોનુ સૂદ ફરી મસીહા બન્યો ! ટ્રેન દુર્ઘટનામાં ભોગ બનેલા લોકોના પરિવારજનો માટે હેલ્પલાઇન