કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

મોરબી બ્રિજ તૂટવાની ઘટનાઃ એકપણ મૃતદેહના પોસ્ટમોર્ટમ નહીં થાય, GR બહાર પાડ્યો; 132 ડેડબોડીની ઓળખ થઈ

Text To Speech

મોરબીઃ રવિવારે ઝુલતો પુલ ધરાશાયી થયાની દુર્ઘટનાને 12 કલાકથી વધુ સમય વીતી ગયો છે. ત્યારે મૃત્યુઆંક 141 પર પહોંચ્યો છે પરંતુ જેમાં 132 ડેડબોડીની ઓળખ થઈ ગઈ છે તે તમામ લોકોના સ્વજનોને પોસ્ટમોર્ટમ કર્યા વગર મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે.

morbi 01 death list

મુખ્યમંત્રી ખડેપગે હોવાથી ગવર્નમેન્ટ રિઝોલ્યુશન એટલે કે GR બહાર પાડ્યો હતો કે, આવી દુર્ઘટનામાં કોઈ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે નહીં.

morbi 02 death list

જો કે, 141 લોકોના મોત થયા તેમાંથી કોનું કઈ રીતે મોત થયું તે જાણવા નહીં મળે. કારણ કે કોઈનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નથી. આ તમામ લોકોના મોતનું કારણ અકબંધ રહેશે.

morbi 03 death list

morbi 04 death list

અનેકના મોત પાણીમાં ડૂબી જવાથી તો કેટલાંકના હાર્ટઅટેકના કારણે મોત થયા છે
રવિવાર સાંજે જ્યારે બ્રિજ તૂટ્યો ત્યારે અનેક લોકો પાણીમાં ગરક થયા, તો કોઈના ડૂબવાથી, કોઈને નીચે થડકો આવવાથી, તો કોઈનું હૃદય બેસી જવાથી પણ મૃત્યુ થયું હશે. આવું પણ એક કારણ છે, પરંતુ હાલ કોઈનું પોસ્ટમોર્ટમ કરાયા નથી ત્યારે મોતનું ચોક્કસ કારણ જાણવું ખૂબ જ મુશ્કેલ છે. હાલ તો સ્વજનોને તેમના અંગત લોકોના મૃતદેહો સોંપવામાં આવી રહ્યા છે અને અંતિમ ક્રિયાઓ માટે તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે.

MORBI BRIDGE COLLAPSED
મોરબીની ઘટનામાં જવાબદાર લોકો સામે સદોષ માનવ વધની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ફરિયાદમાં ગુનેગારો કોણ છે તે અંગે કોઈ ફોડ પાડ્યો નહોતો.

રેન્જ IGની અંડરમાં તપાસ
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે કલમ 304, 308 અને 114 મુજબ ક્રિમીનલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેની પણ તપાસ આજે જ ચાલુ થાય તે માટે એક ટીમ બનાવવામાં આવી છે. રેન્જ આઈજીની અંડરમાં આ તપાસ આગળ વધારવામાં આવશે. ઝડપથી આ તપાસ કેવી રીતે પૂરી થાય તે માટે આજુબાજુના જિલ્લામાંથી વધારાના અધિકારીઓ આપવામાં આવ્યા છે.

Back to top button