એજ્યુકેશનકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

મોરબી: 27મીએ ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

Text To Speech

મોરબી: ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા 27મી ઓક્ટોબરે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ઈચ્છુક ઉમેદવારો આ ઔદ્યોગિક ભરતીમેળાનો લાભ લઈ શકે છે.

કયાં અને ક્યારે યોજાશે ઔદ્યોગિક ભરતીમેળો ?

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૨૭-૧૦-૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ – મોરબી હાઇવે, રામદેવ પીરના મંદીરની બાજુમાં આઈ.ટી.આઈ – ટંકારા, ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉમેદવારે શું-શું લઈને હાજર રહેવાનું રહેશે ?

આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી / એચએચસી / આઇટીઆઇ / સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવાનું રહેશે.

  • રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે.

આ પણ વાંચો: ખેડામાં 6 મહિનામાં 4500 જેટલા ઉમેદવારોને મળી રોજગારી

Back to top button